SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ક સમ્રાટ્ સંપ્રતિ આ માળવાની ગાદી ઉપર ગઈ ભીલૢ વંશની રાજ્યસત્તા ૧૦૦ વર્ષ એટલે વીનિવાણુ ૫૦૧ થી ૬૦૫ સુધી રહી. જે દરમ્યાનમાં માળવામાં રાજ્ય-પરિવર્તનને અંગે કાંઇ મહત્ત્વતાદક નોંધ મળી શકતી નથી. શક સંવત્સરની શરૂઆત ( વીરનિર્વાણુ ૬૦૫)— પૂર્વે વીરનિર્વાણુ ૪૫૩ થી ૪૫૭ સુધી ભારતમાં રાજ્ય કરી ગએલ શક શહેનશાહે એ હિંદમાં જ રહી ભારતવર્ષની નીતિ, સભ્યતા અને વ્યવહારનું સપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને ધીમે ધીમે ભારતની પ્રજાથી હળમળીને તેઓ રાજ્ય કરી શકે તેવું બળ કેળવ્યું. આ સમયે સિન્ધુ નદીની પેલી બાજુના પ્રદેશેા ઉપર શકવશના શાલિવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે તેના પૂર્વજો સાથે હળીમળીને સિન્ધુ નદી ઓળંગી, કાઠયાવાડના માર્ગે ફરીથી માળવા ઉપર ચઢાઇ કરી. આ આક્રમણુ માળવાની ખલાઢ્ય સેનાથી પણુ રાકી શકાયું નહિ. પિરણામે આ વર્ષે ગઈ ભીલ વંશની સત્તાના અંત આવ્યેા; અને માળવાની ગાદી ઉપર મહારાજા શાલિવાહને શકવંશની સ્થાપના કરી, તેમજ સ`પૂર્ણ અધિકાર હસ્તગત કરી રાજ્યવહીવટ સભાળી લીધેા. આ મહત્ત્વતાભર્યો વિજયના અંગે તેઓએ શાલિવાહન નામના શકની (૬૦૫ માં ) શરૂઆત કરી કે જે શક વર્તમાન કાળે પણ ભારતમાં ચાલુ છે. આ શકની શરૂઆત ચૈત્ર સુદિ ૧ ના દિનથી થાય છે. ઉજ્જૈનની રાજ્યગાદી ઉપર શાલિવાહનના રાજ્યામલને અંગે ઇતિહાસકાર વીન્સન્ટ એ, સ્મીથ પેતાના · અલિ હીસ્ટરી ઓફ ઇન્ડિયા ’માં જણાવે છે કે “ શક કાળની શરૂઆત ઈ. સ. પૂર્વે ૭૮ માં થઈ હતી. કે જેના સ્થાપક શાલિવાહન નામે રાજા હતા. ભૂમક્ષ રાહત નામના રાજાએ આ પૂર્વે શક વંશની સ્થાપના કરી હતી. જગતભરના જંજાળી સ’બધા સાથે જૈન મુનિવરેશને સબંધ ન હેાવાથી મુનિ મહારાજાએએ તેની નોંધ જૈનગ્રંથામાં લીધી નથી જેથી કરી વર્તમાન ઇતિહાસકારા ઐતિહાસિક સ્વરૂપમાં તેની નોંધ, તેમના કુટુંબપરવાર અને રાજ્યવહીવટ વિગેરે માગે છે તે જણાવવા જૈન ગ્રંથા અશક્ત છે, છતાં આ મહાન્ રાજાએનાં વર્ષોંના તેઓએ પ્રાસ ંગિક કર્યા છે. “ નિશિથ ચૂણી ” અને શ્રી અભયદેવસૂરિજી મહારાજનાં ઐતિહાસિક લખાણા તથા અન્ય ગ્રંથામાંથી તેવા સક્ષિસ ઉતારાઓ લઇ અમેએ અહીં સુધીના ઇતિહાસ રજૂ કર્યાં છે. પ્રાચીન કાળમાં સમર્થ મહાન વિભૂતિઓનાં ચિરતાનુવાદો અને કથાએ ઇતિહાસ તરીકે જ જ્ઞાની આત્માઓનાં મુખની વાણીને સત્ય માની પ્રમાણભૂત ગણાતા અને તે જ પ્રમાણે જૈન અને સનાતન ગ્રંથાએ પેાતાના પૂર્વાચાર્યાના સમકાળે થએલ રાજા, મહારાજાઓની નાંધા લીધી છે ને તે પ્રમાણભૂત મનાય છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy