SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સમ્રાટુ સંમતિ મહારાજા અશોકે ભારતમાં સેંકડો સ્તૂપ નીતિવાકયથી કોતરાવી ચારે દિશાએ કીર્તિ અમર કરી હતી. તે જ માફક સ્તૂપને બદલે મહારાજા સંપ્રતિએ ગામેગામ જૈન મંદિર બંધાવી, અન્નક્ષેત્રે ખેલી, પ્રાચીન દેવાલયનો જીર્ણોદ્ધાર કરી પિતાની નામના અમર કરી હતી. મહારાજા અશકે એક અબજ સુવર્ણ મહારનું દાન બદ્ધ ભિક્ષુકે ને ધર્મપ્રચાર અર્થે આપ્યું હતું છતાં બદ્ધધર્મને ફેલા મહારાજા અશોકથી ભારતમાં થઈ શકે નહિ. જ્યારે હિંસા પરમો ધર્મ ના પ્રાચીન સિદ્ધાંત અનુસારે મહારાજા સંપ્રતિ ભારતને જૈનધર્મમય બનાવી શક્યા હતા. એટલું જ નહિ પણ ભારતને ખૂણે ખૂણે જૈનમંદિર બંધાવી ચાલીસ કરોડની પ્રજામાં જૈનધર્મને ફેલાવો કર્યો હતે. તેમ જ સાધુસંપ્રદાયના વિહાર અથે અનાર્ય પ્રદેશને માર્ગ ખુલે કરી આપી જૈનધમને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. ૌર્યવંશી રાજવીઓમાં એક જાતની સરસ અને કુનેહભરી આવડત એ હતી કે તેઓ છતર ધમીને લેશમાત્ર પણ દુઃખી ન કરતા. માર્યવંશના રાજ્યામલ દરમ્યાનમાં ભારતમાં જેન, બદ્ધ અને વેદાંતિક એમ ત્રણ ધર્મ પૂર જેસમાં હતા. સનાતન ધર્મના લગભગ ૬૦૦૦૦ જેટલા બ્રાહ્મણને પૂજનિક ગણી નિત્ય ભેજન આપવામાં આવતું અને તેમનું માન રાજ્યપુરહિત તરીકે સચવાતું. આ પ્રથા મહારાજા અશોકના પાંચ વર્ષના રાજ્ય અમલ સુધી ચાલુ રહી અને સનાતન ધમીઓનું સુંદર માન સચવાયું. બાદ મહારાજા અશોક ચુસ્ત બદ્ધધમી બનતાં તેણે એક અબજ સુવર્ણ મહારનું ખુલ્લું દાન બૌદ્ધ ભિક્ષુકોને દીધું. એ સિવાય મહારાજાએ ધાર્મિક કાર્યો અને પ્રજાહિતનાં કાર્યો પાછળ કરડેને સુંદર રીતે સદુપયોગ કર્યો. ત્યારપછી મહારાજા સંપ્રતિએ પણ જૈન ધર્મના ફેલાવામાં તન, મન અને ધનની સંપૂર્ણ મદદ આપી છતાં મહારાજા ચંદ્રગુપ્તથી લગાવી મહારાજા સંપ્રતિ સુધીમાં કેઈપણ રાજવીએ તેમ જ તેમની પાછળ મોર્યવંશમાં થનાર અન્ય કોઈ રાજવીએ કેઈપણ ધર્મ ઉપર જરા પણ અંકુશ મૂકે નથી તેમ જ કેઈપણ ધર્મપંથીનું દિલ દુખાવવા જે એક પણ ઐતિહાસિક બનાવ બનવા દીધું નથી. પ્રભુ મહાવીરના નિર્વાણથી લગાવી વીર નિર્વાણ ૩ર૩ વર્ષો સુધીમાં પ્રાચીન ગ્રંથકારોના જણાવ્યા મુજબ પ્રભુ મહાવીરના ઉપદેશે લગભગ ભરતક્ષેત્રના સાડી પચીશ પ્રદેશો ધર્મભૂમિ તરીકે સંસ્કારી બન્યા હતા, જેમાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્ર જેવા ત્રણ મહાન પ્રદેશને સમાવેશ થવાથી ભારતની વસ્તીને ઘણે ભાગ જેનધમી બન્યો હતો. પ્રભુ મહાવીરના સમયમાં જૈનધર્મને પાળનારા સાડીપચ્ચીશ દેશની નેંધ નીચે પ્રમાણે છે. રાજ્યધાની ૧ મગ દેશ (રાજ્યગ્રહી) ૨ અંગદેશ (ચંપાનગર) દેશ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy