SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતીસુકુમાલને જાતિસ્મરણજ્ઞાન એક દિવસ સંધ્યા સમયે નલિનશુલ્મ ( નલિણુગુક્ષ્મ ) નામના વિમાનના અજઝયરણુ( અધ્યયન )નું ઉચ્ચ સ્વરે પરાવર્તન કરી રહ્યા હતા. સૂરિશ્રીના અધ્યયનના અવાજ સ્પષ્ટ રીતે સાતમા મજલા સુધી પહેાંચતા હતા, અને સાતમા મજલે સુવર્ણ હિડાળે ઝૂલી રહેલ અવન્તીસુકુમાલ તેનું શ્રવણ કરી રહ્યો હતા. ૩૦૭ જેમ જેમ અધ્યયન આગળ ચાલતું ગયું તેમ તેમ અવંતીસુકુમાલનું દિલ તેના ખરાખર શ્રવણુ કરવા તરફ આકર્ષાયું અને રંગમહેલમાંથી નીચે ઊતરી તરત જ તે સૂરીશ્વરજી પાસે આવી પહોંચ્યા અને તેમને વંદન કરી એકધ્યાને સાંભળવા લાગ્યા. એકધ્યાને અધ્યયન સાંભળતાં તેના આત્મામાં ભાસ થયેા કે “ મેં આવું કયાંક જોયું છે. ” અવન્તીસુકુમાલના આત્મા આંતિરક સ ંશાધનમાં પડ્યો અને તેને જ્ઞાનન્ત્યાત પ્રકટી. વિશેષ વિચારણા કરતાં તરત જ આ નિર્માંળ હળુકમી આત્માને વિવેક બીજરૂપી જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું અને તેણે સૂરીશ્વરજીને તરતજ પ્રશ્ન કર્યાં કે—“ હે ભગવન્ત ! આપ શું તે વિમાનમાંથી આવા છે ?” આચાર્ય શ્રીએ કુમારની સન્મુખ જોઇ સ્મિતમુદ્રાએ કહ્યું કે “ હું વત્સ ! એ વિમાનમાંથી હું નથી માન્યા પરન્તુ પ્રભુ મહાવીરે જે પ્રમાણે તે વિમાનનું વર્ણન કર્યું છે તેનુ હું અધ્યયન માત્ર કરું છું. ” 66 અહા હા ! ભગવંતની શી જ્ઞાનશક્તિ ? જેવી રીતે એ વિમાનનું વર્ણન અધ્યયનમાં આપ કરા છે તે જ પ્રમાણે તે વિમાન છે. ” અવંતીસુકુમાલ ખેલ્યા. “તે શી રીતે જાણ્યું વત્સ ! ? ” 66 ભગવન્ત ! સાતમી ભૂમિકાએ વિલાસમગ્ન સ્થિતિમાં આપના અધ્યયનના શબ્દો મારા સાંભળવામાં આવ્યા અને મારા આત્મામાં તનમનાટ થઇ રહ્યો, કુદરતી આકષઁણુદ્વારા મારું દિલ આપની પાસે આવવા ખેંચાયું. આપની પાસે આવી ઉપરાક્ત વિમાનનુ અધ્યયન એક ચિત્તે સાંભળતાં મને જાતિસ્મરણુજ્ઞાન થયું છે, જેથી હું જાણી શકયા કે ખારમા દેવલાકના તે વિમાનમાંથી ચ્યવી હું અહીં આવ્યા છું. હે પૂજ્ય ! હું હુવે પાછા ત્યાં જવા ઇચ્છું છું, તા ત્યાં શી રીતે પાછા જવાય તે માર્ગ આપ મને મતાવશે ? ’ અવન્તીસુકુમાલને થએલ જાતિસ્મરણુજ્ઞાનની વાત સાંભળી સૂરીશ્વર આદિ સાધુ સમુદાય આશ્ચય પામ્યા.બાદ સૂરીશ્વરજી મેલ્યા:– વત્સ ! આ વિમાનની પ્રાપ્તિ માટે સંસારને ત્યાગ કરી સાધુપણું અંગીકાર કરવુ જોઇએ. ચારિત્ર-સ્વીકાર સિવાય એ સ્થાન પ્રાપ્ત થઇ શકતું નથી.” “ ઉપકારી ગુરુદેવ ! તેા આપ મને ચારિત્ર અંગીકાર કરાવી તે વિમાનના વાસી અનાવા. હે ભગવંત! શું આપ મારા પર એટલી કૃપા ન કરી શકા? હે દેવ, એ મારું
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy