SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્રાટુ પ્રતિ નાનપ સમજી તેને સામનો કર્યો, અનેક સ્થળોએ ભયંકર યુદ પણ થયાં, પરંતુ ધીરે ધીરે વિજય કરતે સીકંદર ખ્યાસ નદીના તટ સુધી પહોંચી ગયો. આ સમયે બહાદુર ભારતીય સૈન્યથી વાા ત્રાહ્ય પિકારી ગયેલા સીકંદરના સે આગળ વધવાને ઈન્કાર કર્યો. સીકંદરે સિન્યને અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, અનેક રીતે જેમ ઉત્પન્ન કરનારી લાલચો પણ બતાવી; છતાં આ સન્ય યુદ્ધથી એટલું બધું તે થાકી અને ત્રાસી ગયું હતું કે લશ્કરે કેઈપણ પ્રકારે અને જોખમે આગળ વધવાની ના પાડી. પરિણામે સીકંદરને ત્યાંથી પાછું ફરવું પડયું અને તેના સ્મરણચિહ્ન તરીકે વ્યાસ નદીના તટ ઉપર સીકંદરે પિતાનું સ્મારક બનાવી, દેવ-દેવીની પૂજા કરી, જેલમ તરફ પ્રસ્થાન કર્યું. કેઈપણ જાતની અડચણ વગર શાહ સીકંદર જેલમ પહોંચી ગયા. ત્યાં તેણે ભારે દરબાર ભરી રિસરાજાને ખાસ નદીથી માંડી જેલમ નદીના સુધીના પ્રદેશોને સેપ (સૂ) બનાવ્યું. જેલમથી સિધુ નદી સુધીના પ્રદેશોને સિટ્રપ (સૂ) અભીસ રાજાને બનાવ્યું. સિન્ધના પશ્ચિમ વિભાગના પ્રદેશને સિટ્રપ (સૂ) પીલીપેશ નામના સેનાપતિને બનાવ્યું. આ પ્રમાણે પિતાના જીતેલા પ્રદેશને પ્રબંધ કરી સીકંદર પિતાના દેશ તરફ પાછો ફર્યો, પરંતુ પાછા ફરવામાં નવા જ માર્ગનું તેણે અનુસરણ કર્યું. જેલમ નદીના તટ ઉપર ૨,૦૦૦ જહાજમાં વિજેતા તરીકે મેળવેલ નજરાણુની લક્ષમી અને રત્નભંડાર ભરી, લશ્કરને સાથે લઈ, ભારતના પશ્ચિમ વિભાગે પિતાનું સામ્રાજ્ય જમાવી શાહ સીકંદરે જળમાર્ગે પ્રયાણ કર્યું.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy