SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા મહાનંદ ઊર્ફન' ત્રીજો ૧૪૩ ધર્મી ગણાતુ હતુ. આ મહારાજાના સમયમાં મગધમાં વીરનિર્વાણુ ૧૪૬ માં એક એવા રાજકીય બનાવ બન્યા હતા કે જેના યેાગે મગધની રાજ્યગાદીના પાયા હચમચી ઊઠ્યા. ન ંદવંશના મજબૂત સ્થંભાને ઢીલા કરવામાં તે બનાવ કારણભૂત બન્યા હતા. તે પ્રસંગને લગતી હકીકત નીચે મુજબ છે:-- સ્થૂલભદ્રનુ' વૃત્તાંત— પંજાખ તક્ષશિલાની વિદ્યાપીઠમાંથી સંસ્કૃત આદિ ધાર્મિક શિક્ષણનું સુંદર જ્ઞાન મેળવી વરરુચિ નામે એક વિપ્ર મગધનરેશ મહાનદની વિદ્યાપ્રિયતા સાંભળી, મગધ આન્યા. મગધના રાજ્યદરખારમાં મહારાજા નન્દને શુભાશીષ દઇ પેાતાના સંસ્કૃત કાવ્ય તથા વ્યાકરણ આદિ વિષયાને પરિચય આપ્યા. મહારાજા નન્દે ખુશી થઇ તેને નિત્ય એક નવા ઉપદેશાત્મક લૈાક બનાવી રાજ્ય દરબારમાં આવી સંભળાવવા કહ્યું અને તેના બદલામાં હંમેશાં એક સુવણુ મહેાર આપવાનું વચન આપ્યુ. જે કાળની આ ઐતિહાસિક ઘટના આપણે રજૂ કરીએ છીએ તે કાળે વીનિર્વાણુને ૧૪૫ મું વર્ષ ચાલતુ હતું. વરરુચિના પાંડિત્યથી રાજદરબારમાં તેને સારું સન્માન મળવા લાગ્યું, પણ તેના લેાભને માઝા ન રહી. એક એક શ્લાક દીઠ એક એક સેાનામહેાર મેળવવાની લાલચમાં તે પોતાના સમયના સ્વાર્થાધપણાથી દુરુપયેાગ કરવા લાગ્યા. તે એટલા સુધી કે વરરુચિ પંડિત નિત્ય ૧૦૮ શ્લાક નવા બનાવી રાજની ૧૦૮ સુવણૅ મહારા મેળવવા લાગ્યા. આ પ્રણાલિકા સુજ્ઞ મંત્રી શકડાલને ન રુચી રાજ્યહિતેચ્છુ મંત્રી તરીકે રાજાની આ ક્નાગીરી તેમને ખટકવા લાગી. શકડાલની સાત પુત્રીએ બહુ વિચક્ષણ ને તીવ્ર સ્મરણુશક્તિવાળી હતી. પહેલી પુત્રી કાઇ એક શ્લાક સાંભળે તે સાંભળવા માત્રથી જ તેને યાદ રહી જતા, બીજી પુત્રી એ વાર સાંભળવાથી યાદ રાખી શકતી તેવી રીતે સાતમી પુત્રી સાતમી વખતે કાઇ પણ નૂતન શ્લાક યાદ રાખી શકતી. શકડાલે વરરુચિના àાક નૂતન નથી એમ ઠરાવવા પેાતાની પુત્રીઓની વિદ્વત્તાના ઉપયોગ કરવા વિચાર્યું જ્યારે જ્યારે વરરુચિ આવી શ્લાક ખેલતા ત્યારે ત્યારે શકઢાલ પેાતાની પુત્રીએ મારફત તે તે શ્લેાકેા ખેલાવી વરરુચિની નવીન કૃતિના પરાસ્ત કરતા. રાજા નઈં પણ નવીન àાકા ન હેાવાને કારણે વરરુચિને સુવણૅ મહેાર અપાવતા બંધ થયા. આ પ્રમાણે સુવણૅ મહેારની પ્રાપ્તિ બંધ થવાથી વરરુચિ શકડાલ પ્રત્યે પૂર્ણ દ્વેષી બન્યા. પંડિત વરરુચિએ અમાત્ય શકડાલની વિરુદ્ધ કાવત્રુ રચ્યું. પાતાના કાવત્રામાં વરરુચિ સફળ થયા ને પિરણામે વફાદાર વાવૃદ્ધ મંત્રીશ્વર શકડાલનું મૃત્યુ થયુ મંત્રીશ્વર શકડાલને શ્રી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રા તેમજ જા, જદિશા, ભૂતા, ભૂતદિશા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીએ હતી. માટે પુત્ર સ્થૂલભદ્ર કાશ્યા નામની ગુણિકાને ત્યાં બાર વર્ષ પર્યન્ત ગૃહવાસ કરી રહેલ હાવાથી
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy