SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ મું. મહારાજા ઉડ્ડયન ઊર્ફે ઉઢ્ઢાયશ્વ અથવા ઉત્ક્રાઇ, વીરનિર્વાણ ૩૨ થી ૬૦ સુધી, ઈ. સ. પૂર્વે ૪૫ થી ૪૬૭ સુધી :: ૨૮ વ. મહારાજા અજાતશત્રુના સ્વર્ગવાસ પછી પેાતાની ૪૦ વર્ષની અવસ્થાએ મહારાજા ઉદાઇએ ચ’પાપુરીના સિ’હાસન પર બેસી રાજ્યઅમલ શરૂ કર્યાં, પરન્તુ આ મહારાજાને પણ પેાતાના પિતાની માફક ચંપાપુરીમાં ચેન પડ્યું નહિ. તેથી તેણે પણ રાજ્ય ઉપર આવતાં તરત જ નવાં શહેરની સ્થાપના માટે રાજકમ ચારીઓને આજ્ઞા કરી. આ આજ્ઞાનુસાર સારા નિમિત્તિઆઆને ઉત્તમ સ્થાનની શોધ માટે મેાકલવામાં આવ્યા, જે જોતાં જોતાં ગંગા અને સામ નદીના સંગમતટ પર આવ્યા. ત્યાં ગુલામી ફૂલેાથી ખીલેલ ગુલાબી રંગવાળુ “ પાટલી ( પુન્નાંગ ) વૃક્ષ ”ને જોઇ તેની શૈાભાથી આશ્ચર્ય પામેલ નિમિત્તિ ત્યાં થાડા સમય ઊભા રહ્યા ત્યાં તે તે સમયે તેમની નજર ડાળી પર બેઠેલાં ઊઘાડાં મુખવાળાં ચાષ નામના પક્ષીઓ પર પડી. “ ચાષ ” પક્ષીઓનાં ખુલ્લાં માંમાં કીડા આપમેળે આવી આવીને પડતા હતા. આ જોઇ નિમિત્તવેત્તા મનમાં વિચારવા લાગ્યા કે– · અહા ! જેમ આ ચાષ પક્ષીઓનાં માંમાં પેાતાની મેળે કીડા આવીને પડે છે તેમ આ સ્થાને જો નગર વસે તા રાજાને પણ પેાતાની મેળે લક્ષ્મી પ્રાપ્ત થાય. ’ (6 ,, તેઓએ એ વાત રાજાને જણાવી. રાજા પણ ઘણા ખુશી થયા. એવામાં એક વૃદ્ધ નિમિત્તિઓ ખેલ્યા કે—“ હે રાજાન્ ! આ પાટલાવૃક્ષ કઇ સામાન્ય નથી કારણ કે અગ્નિકાપુત્ર આચાય નામે એક મુનિની ખોપરીમાંથી તે ઉત્પન્ન થએલ છે. આ પાટલાવૃક્ષ પવૃિત્ર છે અને વિશેષમાં તેને મૂળ જીવ એકાવતારી હાવાથી ખીજે ભવે મેાક્ષમાં જનાર છે. ” મહારાજાએ તેનું વૃત્તાંત તે જ્ઞાની નિમિત્તિઆને પૂછ્યું, જેના ત્તિમાએ પેાતાના જ્ઞાનના મળે આપ્યા. આ પ્રસંગને લગતા વૃત્તાંત જવાબ તે નિમિવિવિધતીર્થંકલ્પ ”
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy