________________
અપ્રતિહત વર જ્ઞાન અને દર્શનના ધારક ભગવાન છે. બધી જ લબ્ધિઓ સાકાર (જ્ઞાન) ઉપયોગમાં જ થાય છે. તે જણાવવા અહીં પ્રથમ જ્ઞાન મૂક્યું છે.
(૨૬) વિકૃછકમvi |
આ વિશેષણથી આજીવક (ગોશાળાનો મત) મતનું નિરસન થયું છે. “ધર્મ-તીર્થનો નાશ થતો હોય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.” એમ તેઓ માને છે. જેમ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે : યા યા દિ થશે નનિર્મવતિ મારત ....... તા તાત્માનં સૃગાવેદ.
આજીવકોનો પણ આવો જ મત હતો.
પણ અહીં કહે છે : ભગવાન તો સંપૂર્ણરૂપે છદ્મસ્થ અવસ્થાથી પર થઈ ગયા છે. અવિદ્યા તેમની નષ્ટ થઈ ગઈ
“મોક્ષથી જો કોઈ પાછું ન જ આવે તો સંસાર ખાલી ન થઈ જાય ?' એવો પ્રશ્ન નહિ કરતા. જેટલા ત્રણેય કાળના સમયો છે, તેથી પણ વધુ સંસારમાં જીવો છે, જે કદી પણ ખાલી થવાના નથી. જો એમ માનીશું તો જીવોની ક્રમશઃ મુક્તિ થતાં સંસાર આખો ખાલી થઈ જાય. પણ એમ કદી બન્યું નથી ને બનશે પણ નહિ.
• આજ્ઞા બે પ્રકારે : નિશ્ચય અને વ્યવહાર.
જડ પદાર્થો માટે એક નિશ્ચય આજ્ઞા જ છે. જયારે આપણે સાધના કરવી હોય તો વ્યવહાર આજ્ઞા માનવી પડે. તો જ આપણે ઉપાદેયનો આદર અને હેયનો અસ્વીકાર કરી શકીએ.
- પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : એક બાજુ ભગવાનની આજ્ઞા છે : પુદ્ગલો પોતાનું કાર્ય કરે છે. બીજી બાજુ ભગવાનની આજ્ઞા છે : પુગલો શત્રુ છે. તેને છોડો. શું સમજવું ? - પૂજ્યશ્રી : કર્મસત્તાથી દબાયેલા છીએ આપણે. ભગવાન આપણને આપણું સિહત્વ (આત્મ7) જાણવા કહે છે. પુદ્ગલ છૂટે નહિ ત્યાં સુધી આત્મત્વ જણાય નહિ.
*
*
*
*
*
*
*
*
*
* * * ૨૯૩