SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તો પાછળના પડદાના કારણે લાલ દેખાય છે. પડદો હટતાં જ શુદ્ધ સ્ફટિકમય પ્રતિમા ઝળકવા લાગ્યા. આપણો આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે, પણ રાગ-દ્વેષથી તે રાગી-દ્વેષી જણાય છે. જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો પ્રબળ કષાય અભાવ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પુણ્ય-પાપથી રે તિમ જગ-જીવને, રાગ-દ્વેષ પરિણામ.” - પૂ. ઉપા. યશોવિજયજી. ૧૨૫ ગાથાનું સ્તવન. - જીવની શુદ્ધતાનું પુર નિમિત્ત એક માત્ર ભગવાન જ છે. “નિમિત્તાલંબી બન્યા વિના જીવ કદી ઉપાદાનાલંબી બની શકતો નથી.' એમ ટબ્બામાં પૂ. દેવચન્દ્રજીએ સ્વયં લખ્યું છે. “માટે હે ભવ્યો ! તમે અરિહંતની ભક્તિમાં ડૂબી જાવ.” એમ પૂ. દેવચન્દ્રજી જણાવે છે. આત્મ-અવલંબન કેવી રીતે કરવું ! પૂજ્યશ્રી : પ્રથમ પરમાત્માને સમર્પિત થઈ તેમનું અવલંબન લેવું. તેમના ગુણોમાં તાદાભ્ય થવાથી હું કંઈક છું” વગેરે અહંકારરૂપ વિકલ્પરહિત થવાય. તેવા શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાન સ્વરૂપ એવા આત્માની આ દશા તે સમભાવ - સુનંદાબેન વોરા ૧૦૪ * * * * * * * * * * * * * કહે
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy