SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન ન હોત તો આપણે શું કરત ? સંસારના સૃષ્ટિ-કર્તા ભલે આપણે ન માનીએ, પણ મોક્ષકર્તા તો આપણા છે જ. અમે પણ પહેલા આ ઔપચારિક રૂપે જ માનતા. પણ પૂ.પં.મ.ના સંસર્ગથી જ આ ઔપચારિકતાની માન્યતા પૂર્ણપણે ખતમ થઈ. - આપણો વિશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય. સમતા વધતી જાય તેમ આનંદ વધતો જાય. યોગસારમાં ભગવાનને “વતુચાવીપ્ર૬ઃ' કહ્યા ભગવાન મોક્ષના દાતા ઔપચારિક હોત તો આવું વિશેષણ ન હોત. એથીયે આગળ વધીને નમુત્થણની વંતુચપપ્રઃ સંપદામાં ભગવાનને “જિણાણે જાવયાણું” ઈત્યાદિ વિશેષણોથી નવાજેલા છે, તે પણ આ જ વાત સૂચવે છે : ભગવાન માત્ર જીતનારા નથી, જીતાડનારા પણ છે. તરેલા જ નથી, તારનારા પણ છે. બુદ્ધ જ નથી, બોધક પણ છે. મુક્ત જ નથી, મોચક પણ છે. સાંસારિક સુખોમાં સુખનો આરોપ કરીને આપણે ભ્રમણામાં પડેલા છીએ. પ્રભુ-પ્રાપ્તિથી જ આ આપણી ભ્રમણા તુટે છે. કહે, કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચવાથી પૂ. ગુરુદેવશ્રીનો આંતર-પરિચય થયો. એમની ભક્તિ, એમનું જ્ઞાન, એમની ધર્મ ભાવિત અતિ આ બધું જાણવા મળ્યું. - સા. ચરણનુણાશ્રી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૨૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy