SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શંખેશ્વર ફા.સુદ-૧૨ ૧૭-૩-૨૦૦૦, શુક્રવાર * ભૂતકાળમાં કદી આ જિનશાસન મળ્યું નથી. મળ્યું હોય તો ફળ્યું નથી, આરાધના કરી નથી. આપણી સાથે રહેનારા અનંતા જીવો પરમપદે જઈ પહોંચ્યા, પણ આપણે ઠેરના ઠેર રહ્યા. કારણકે વિષય – કષાયો જ આપણને મીઠા લાગ્યા. એનું જ સેવન કરતા રહ્યા આપણે. ચારે બાજુ આગ લાગી હોય, નીકળવાનો નગરનો દરવાજો એક જ હોય તે વખતે માણસ કોઈને વધુ પૂછ્યા વિના નીકળવાની કોશીશ કરે. એમાં એક આંધળો હતો. એને કોણ પકડીને લઈ જાય ? એક સજ્જને સલાહ આપી : હું હાથ તો ન પકડી શકું, પણ તમે એક કામ કરો : દિવાલને પકડી-પકડીને ચાલતા રહો. દરવાજે આવતાં જ ખ્યાલ આવી જશે. આંધળો બિચારો નસીબનો ફેટેલો હતો. તેણે એમ કર્યું ખરું, પણ જ્યારે દરવાજો આવ્યો ત્યારે જ તેણે ખરજ કરવા દિવાલ પરથી હાથ લઈ લીધો ને ચાલવાનું ચાલુ રાખ્યું. ફલતઃ દરવાજો છુટી ગયો. આપણે આ આંધળા જેવા નથી ને ? જિનશાસનયુક્ત આ માનવ-ભવનો દરવાજો આવ્યો છે ત્યારે વિષય-કષાયની ચળ નથી આવતી ને ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy