SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય ન હોય તો ન ગૃહસ્થ - જીવન શોભે, ન સાધુ-જીવન ! એક પણ અવિનીત આવી જાય તો આપણા ગૃપની શું હાલત થાય ? તેનો આપણને અનુભવ છે. આ બધું જોઈને આપણે નિર્ણય કરી લેવો જોઇએ : મારે તો કોઈનો અવિનય નથી જ કરવો. બીજો અવિનય કરે તે ભલે આપણે ન અટકાવી શકીએ, પણ આપણો અવિનય તો આપણે અટકાવી શકીએને ? ગૃહસ્થો પુરુષાર્થથી ધનની વૃદ્ધિ કરે તો આપણે વિનયથી વિદ્યા આદિ ગુણોની વૃદ્ધિ નહિ કરવાની ? વિનીતની બધા જ પ્રશંસા કરે, અવિનીતની પ્રશંસા કોઈએ કરી હોય તેવું જાણ્યું છે ? આટલું જાણવા છતાં અવિનય કેમ ટળતો નથી ? વિનય કેમ જીવનમાં આવતો નથી ? जाणंता वि विणयं केइ कम्माणुभावदोसेणं । निच्छंति पउंजित्ता, अभिभूया रागदोसेहिं ।।१६।। કેટલાક વિનયને જાણતા હોવા છતાં જીવનમાં ઊતારી શકતા નથી. કર્મસત્તા એટલી પ્રબળ હોય છે કે જીવનમાં ઊતારવાનું મન પણ થતું નથી. * અવિનય, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કરીને કોઈ કાર્યમાં સફળતા મેળવીએ ને એ દોષોને વખાણીએ તો સમજી લેજો : આ દોષો કદી જવાના નથી. જન્માંતરમાં પણ સાથે ચાલશે. ભગવાન પાસે ગુણો એકઠા થઈને રહેલા છે. કારણ કે ભગવાને તેનો આદર કર્યો છે. * રાગ-દ્વેષ મિથ્યાત્વના કારણે વધે છે. મિથ્યાત્વના નાશથી ધીરે-ધીરે રાગ-દ્વેષ ઘટતા રહે છે. કારણ કે મિથ્યાત્વથી સમજણ મળે છે : આ રાગ-દ્વેષ જ મારા ભયંકર શત્રુઓ છે, બીજો કોઈ નહિ. શત્રુની એકવાર જાણકારી મળી જાય પછી એની સાથે તમે કદી દોસ્તી ન કરી શકો. . * બુદ્ધિહીન માષતુષ મુનિને કેવળજ્ઞાન મળી ગયું. મહાબુદ્ધિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy