SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૧૦ ૧૧-૭-૨૦૦૦, મંગળવાર * તારે તે તીર્થ. જેના આલંબને તરાય તે તીર્થ. દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ અને પ્રથમ ગણધર એ તીર્થ છે. અત્યારે આ ત્રણમાં ગણધર ભલે નથી, પણ ગણધરનો પરિવાર વિદ્યમાન છે. આ તીર્થની સેવા કરો, મોક્ષ હથેળીમાં છે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” - પૂ. આનંદઘનજી... * એક બાજુ આનંદ માટે આપણે ભટકીએ છીએ, પણ આનંદ-દાયક ઉપાયોથી દૂર રહીએ છીએ. ખરેખર તો આનંદનો પિંડ આપણી અંદર જ પડ્યો છે. એક જ આત્મ-પ્રદેશમાં એટલો આનંદ છે કે આખા બ્રહ્માંડમાં ન સમાય, પણ આપણે એને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, માટે જ બીજે ફાંફાં મારીએ છીએ. * ઉદ્યાન કે વાડી પાણીની નીક વિના લીલાછમ ન રહે, તેમ શ્રદ્ધા સહિતનું જ્ઞાન ન હોય તો આત્મગુણોનું ઉદ્યાન લીલુંછમ ન રહી શકે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૯૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy