SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક-નજીક સબહી હૈ, ઋદ્ધિ અનંત અપારા.” ભગવાન પાસે હોય છે ત્યારે આપણું આંતર કુટુંબ નજીક હોય છે. ભગવાન દૂર તો બધું દૂર. ભગવાન નજીક તો બધું નજીક, અંત સમયે માતા-પિતા, ભાઈ, બંધુ, મિત્ર-પુત્ર કે પત્ની.... કોઈ કામ નહિ લાગે, માત્ર અંતરંગ -પરિવાર, માત્ર ભગવાનનો પ્રેમ જ કામ લાગશે. ભગવાન વીર ગયા ત્યારે ગૌતમસ્વામી રડ્યા. આદિનાથ ગયા ત્યારે ભરત રડ્યા. આ આંસુ તેમને કેવળજ્ઞાનના માર્ગે લઈ ગયા. આ આંસુઓના એકેક ટીપામાં પ્રભુના પ્રેમનો સિંધુ છલકાતો હતો. બીજાનો પ્રેમ મારે ! પ્રભુ નો પ્રેમ તારે ! * સંયમમાં જરૂર હોય તે ઉપકરણ. તેથી વધુ અધિકરણ. આ સૂત્ર યાદ રાખશો તો વધુ સંગ્રહ કરવાનું મન ક્યારેય નહિ થાય. અમારા ગુરુજી [પૂ.કંચનવિજયજી મ.] એકદમ ફક્કડ ! અત્યંત નિઃસ્પૃહી ! એમના કાળધર્મ પછી એમની ઉપધિમાં માત્ર બે જ ચીજો રહેલી : સંથારો અને ઉત્તરપટ્ટો ! એમના કારણે અમારામાં પણ કંઈક અંશે આવી વૃત્તિ આવેલી. અમે પાંચ [પૂ. કમળવિજયજી મ., પૂ. કલાપૂર્ણસૂરિજી મ., પૂ. કલહંસ વિજયજી મ., પૂ. કલાપ્રભ વિ.મ., તથા પૂ. કલ્પતરુવિજયજી મ.] વિહાર કરતા ત્યારે કોઈ માણસ-બાણસ સાથે ન્હોતા રાખતા. એમને એમ નીકળી પડતા. એક વખતે માણસ મોડેથી આવતાં પોટલામાંની વસ્તુઓ જાતે ઉપાડી લીધી ને ત્યારથી માણસને કાયમી વિદાય આપી કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૪૯૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy