SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થવૃત્તિ સમક્તિ છે. સમક્તિનો અર્થ છે : સ્વ-પર જીવને જીવ રૂપે સ્વીકારવો, તેની શ્રદ્ધા કરવી. આવો શ્રદ્ધાળુ બીજાના દુઃખ-દર્દ વખતે નિષ્ક્રિય શી રીતે રહી શકે ? ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ દાન ધર્મ છે, જે પરોપકારની મહત્તા સૂચવે છે. અનુપ્રદાર્થ સ્વસ્થ ગતિ વાનમ્ | - તત્ત્વાર્થ, ૭-૩૩. પરોપકારનો ભાવ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે સર્વવિરતિ ઉદયમાં આવે છે, સર્વવિરતિ માટેની લાલસા જાગે છે. એક દિવસના મારા ભોજન માટે અસંખ્ય જીવો બલિદાન આપે છે. આ રીતે દરેક ભવોમાં આપણે આ સર્વ જીવોનું ઋણ લીધું છે હવે એ ઋણ તો જ ઊતરે, જો સંયમ લઈને એ સર્વ જીવોને અભયદાન આપવામાં આવે. હું ગૃહસ્થપણામાં હતો. જીવવિચાર ભણ્યા પછી શાકભાજી લાવતાં-સમારતાં ત્રાસ થતો : અરેરે....! આ જીવોનો મારે આ રીતે કચ્ચરઘાણ કરવાનો ? એ માટે આ જીવન છે? આ કચ્ચરઘાણ ન થાય એવું એક માત્ર સંયમ-જીવન છે. કુટુંબમાં કેટલાકનો વિરોધ હોવા છતાં હું સંયમ-જીવન લેવા માટે મક્કમ રહ્યો. સંયમ-જીવન વિના સંપૂર્ણ સાધના ન જ થઈ શકે - એવી મારી શ્રદ્ધા દઢ થઈ ગઈ હતી. ચાર કેવળી છે : સર્વજ્ઞ, શ્રુતકેવળી, સમ્યગ્દષ્ટિ અને શ્રદ્ધાપૂર્વક કંદમૂળાદિનો ત્યાગ કરનાર. કંદમૂળમાં જીવ છે, તેની સાબિતી તર્કથી ન થઈ શકે. આ વાત તર્કગમ્ય નથી, કેવળ શ્રદ્ધગમ્ય છે. પ્રભુ પર શ્રદ્ધા રાખીને કંદમૂળનો ત્યાગ કરનારો પણ અપેક્ષાએ કેવળી કહેવાય. * એક જીવને સમકિત પમાડો એટલે ૧૪ રાજલોકમાં અમારિનો ડંકો વગાડ્યો કહેવાય, એવું શા માટે કહેવાયું ? કારણ કે એ જીવ હવે અપાઈ પુગલ પરાવર્તમાં મોક્ષે જવાનો. એક જીવ મોક્ષે જાય એટલે તેણે જગતના સર્વ જીવોને અભયદાન આપ્યું. ૪૮૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy