SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ મેં પૂછ્યું : તમે દીક્ષા કેમ લીધી ? તેમણે કહ્યું : “ગુરુ મહારાજ [પૂ. ભુવનભાનુસૂરિજી] ની શિબિરમાં હું ગયેલો ને ત્યાં ગુરુ મહારાજે મારો હાથ પકડ્યો ને હું અહીં આવ્યો.' બસ, આ જ ભગવાનનો ઉપકાર છે. બીજા કોઈનો નહિ, ને તમારો જ હાથ કેમ પકડ્યો ? ગુરુના માધ્યમથી ભગવાનની કરુણા તમારા પર વરસી, એમ તમને નથી લાગતું ? બીજા કોઈને નહિ ને તમને જ કેમ સમજાવ્યા ?'' જો કે, ભગવાનની કરુણા તર્કથી બેસે નહિ, હૃદયથી બેસે. કર્મનો અમુક ક્ષયોપશમ થયો હોય તો જ સમજાય. આમ પણ વિચારીએ : દીક્ષા લીધા પછી આપણો નિર્વાહ ચાલે છે તે કોનો ઉપકાર ? ભગવાનનો જ. આમાં પ્રભાવ કામ કરે છે ને ? આગળ વધીને કહું તો સમગ્ર વિશ્વ પર નામાદિ દ્વારા ભગવાન ઉપકાર કરે છે. 'नामाऽपि पाति भवतो भवतो जगन्ति ।' પ્રભુ ! આપનું નામ પણ સંસારથી જગતનું રક્ષણ કરે છે. – કલ્યાણમંદિર. આમાં નામ ઉપકાર કરે છે, પ્રભુ ક્યાં આવ્યા ? એમ નહિ પૂછતા. આખરે નામ કોનું છે ? ભગવાનનું જ નામ છે ને ? આપણને આ માનવ-જન્મ, નીરોગી શરીર વગેરે ભગવાનની કૃપાથી જ મળ્યું છે, એ સમજવું રહ્યું. * આવી વાતો પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે ત્રણ વર્ષ સુધી ઘૂંટી ઘૂંટીને સમજાવી છે. આપણો સંઘ આવો પુણ્યશાળી છે. છતાં કંઈક ખૂટતું હોય તો આ તત્ત્વ ખુટે છે; એમ પૂ. પં. ભદ્રંકર વિજયજી મ. કહેતા. આવા ઉપકારી ભગવાન છે. માટે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદન કરવાના છે. દર ચોમાસીએ દેવવંદન કરવાના છે. લોગસ્સમાં નામ લઈને યાદ કરવાના છે. લોગસ્સમાં તો ગણધર કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy