________________
જિણાણે જાવયાણ તિન્નાણું તારયાણ” આ પદો આ જ વાત જણાવે છે.
* ઠીક હવે... ભૂલ થઈ જશે તો પ્રાયશ્ચિત્ત લઈ લઈશું.. આવો ભાવ રહે ને ભૂલ કરતા રહીએ તો ભૂલનું કદી નિવારણ ન થઈ શકે. ભૂલ રહિત જીવન બનાવવું હોય તો આ ભાવને વિદાય આપવી જ રહી.
સૌથી શ્રેષ્ઠ ત્રણ વસ્તુ ૩ મત્ર ઃ કમ ખાના, ગમ ખાના, નમ જાના. સદા કરો : મૌન, અલ્પ પરિગ્રહ, આત્મ નિરીક્ષણ. જલ્દી કરો : પ્રભુ પૂજા, શાસ્ત્રાધ્યયન, દાન. દયા કરો : દીન, અપંગ અને ધર્મભ્રષ્ટ પર. વશ કરો : ઈન્દ્રિય, જીભ અને મન. ત્યાગ કરો ઃ અહંકાર, નિર્દયતા, કૃતઘ્નતા. પરિહરો : કુદેવ, કુગુરુ, કુધર્મ. નીડર બનો : સત્ય, ન્યાય અને પરોપકારમાં. ધિક્કારો નહિ : રોગી, નિર્ધન અને દુઃખીને. ભૂલો નહિ ? મૃત્યુ, ઉપકારી અને ગુરુજનોને. સદા ઉદ્યમી રહો : સદ્ગલ્થ, સત્કાર્ય અને સન્મિત્રની
પ્રાપ્તિમાં. ધૃણા ના કરો : રોગી, દુઃખી અને નીચ જાતિવાળાની. ધૃણા કરો : પાપ, અભિમાન અને મનની મલિનતાથી.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૨૦