SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલા. કોઈ વ્યાજ નથી આપવાનું. “ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા; એક ગુણ દેત મુજ શું વિમાસો ?” ભક્ત આમ કહે છે તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે : ભક્તરાજ ! તને જોઇએ તેટલા ગુણ લઈ જા. કોઈ ના પાડે છે ? પ્રભુના ગુણ ગાય તે પ્રભુ જેવો બને જ. નાટ્યમુક્ત ભુવન - મૂષા – મૂતનાથ | भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः ॥" માનતુંગસૂરિજી કહે છે : તમારા ગુણો ગાતો તમારા જેવો બને તેમાં નવાઈ શી છે? શેઠને આશ્રિત થઈને રહેલી વ્યક્તિ શેઠ બની જાય તો ભગવાનને આશ્રિત થઈને રહેલો ભક્ત ભગવાન કેમ ન બની શકે ? * ભગવાન ક્યાંય પક્ષપાત કરતા નથી. ગૌતમસ્વામીને કદી એમ નથી લાગ્યું કે હું સૌથી મોટો છતાં મને કેવળજ્ઞાન નહિ અને આજના દીક્ષિત મુનિઓ કેવળજ્ઞાન મેળવી જાય ? આ કેવો પક્ષપાત ? એમને ભક્તિ એટલી વહાલી લાગેલી કે એ માટે એમણે કેવળજ્ઞાન પણ એક બાજુએ મૂકી દીધું. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...” આ પંક્તિ ગૌતમસ્વામીમાં ચરિતાર્થ થયેલી જણાય છે. * જિનના ભક્તને કદી અપરાધ કરવાનું મન જ ન થાય, ભક્તિના પૂરમાં વહેતા ભક્તને ખબર છે : અહીં અપરાધ રહી જ ન શકે. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન માય રે...” - ઉપા. યશોવિજયજી મ. જ્યાં એકાદ દોષ હોય ત્યાં તેના બીજા દોસ્તો આવે, પણ જ્યાં એકેય દોસ્ત ન દેખાય ત્યાં દોષો આવીને કરે શું ? ભગવાન સ્વયં તો દોષમુક્ત છે જ, એમનો આશ્રય કરે તે પણ દોષમુક્ત બને જ. ૪૨૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy