SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ડોલ કૂવામાં પડેલી હોય, પણ દોરી હાથમાં જ હોવી જોઈએ. ભલે આપણું તન વ્યવહારમાં હોય, પણ નિશ્ચયરૂપી દોરી કદી છોડવી ન જોઈએ. નિશ્ચયરૂપી દોરી છુટી જશે તો આત્મઘટ ડૂબી જશે. * આત્મસંપ્રેષણની રીત : પોતાનો નાનો પણ દોષ પહાડ જેવો માનવો. બીજનો નાનો પણ ગુણ પહાડ જેવો માનવો. તો જ સાચી અનુમોદના અને સાચી દુષ્કૃત-ગહ થઈ શકશે. ગુણરૂપી દોરડા બહુ જ વિચિત્ર છે. આપણા ગુણરૂપી દોરડા બીજા પકડે તો તેઓ કૂવામાંથી બહાર નીકળે, પણ આપણે જ પકડી લઈએ તો ડૂબી મરીએ ! જેઓ અનુમોદનાના નામે સ્વ-પ્રશંસામાં પડી જાય છે, તેમણે ચેતવા જેવું છે. * કષાયોના ક્ષય વિના આપણું ક્ષેમ નથી. કષાયો મંદ પડી જાય તો પણ ભરોસામાં બેસી રહેતા નહિ. જ્યાં સુધી ક્ષાયિકભાવ ન પ્રગટે ત્યાં સુધી પલાંઠી વાળીને બેસી રહેવા જેવું નથી. * શત્રુ-વિમાન, એરોડ્રામ પર પ્રથમ હુમલો કરે તેમ મોહરાજા આપણા મન પર પ્રથમ હુમલો કરે છે. મન જ આપણું મુખ્ય મથક ઘણા કહેતા હોય છે : માળા ગણું ને મન ભાગવા માંડે છે. એટલે હું તો માળા ગણતો જ નથી ! ભણવા માંડીએ ને ઊંઘ આવે. એટલે આપણે તો ભણતા જ નથી. પૂજા કરવા માંડીએ ને મન ચક્કર-ચક્કર ફરે. એટલે આપણે તો પૂજા કરતા જ નથી. આવા માણસો પાછા હોંશિયારી મારતા કહેતા હોય છે : આપણે દેખાવ માટે કાંઈ કરતાં જ નથી. મન લાગે તો જ કરવું. આ જ આપણો સિદ્ધાન્ત. આવા માણસોને કહેવાનું : માળા ગણવાથી મન ચપળ નથી થયું. મન ચપળ તો હતું જ, પણ માળા ગણતાં તમને ખબર પડી કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૩૬૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy