SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ વદ દ્વિ-૧ ૧૮-૬-૨૦૦૦, રવિવાર * ““હું જ સાધના કરું, બીજા બધા ભલે એમને એમ રહે. હું જ એકલો પામી જાઉં, ભણી જાઉં, બીજા ભલે એમને એમ રહે” આ કનિષ્ઠ ભાવના અહીં ન હોય. અહીં તો એવી વિશાળ ભાવના હોય કે હૃદયમાં સૌનો સમાવેશ થાય. નયવિજયજીએ એ વિચાર ન કર્યો : હું નથી ભણ્યો તો મારો શિષ્ય શા માટે ભણે ? નહિ, એમણે પોતાના શિષ્યને યશોવિજયજીને ભણાવી સારી રીતે તૈયાર કરવા કાશી સુધી વિહાર કર્યો. આવી ઉદાત્ત ભાવના આ જિનશાસનના પાયામાં પડેલી છે. આગળ વધીને સર્વ જીવોનું કલ્યાણ આ જિનશાસનમાં સમાયેલું છે. આ બુનિયાદી વિચાર પર જ પાંજરાપોળો ઈત્યાદિ જૈનો ચલાવે છે. * હજુ પૂ. સાગરજી, પૂ. નેમિસૂરિજી, પૂ. પ્રેમસૂરિજીના વખતમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ભણનારા મુનિઓ હતા. આજ-કાલ એ અભ્યાસ ઘણો ઘટી ગયો છે. આપણે ભગવાનના આગમો નહિ ભણીએ તો કોણ ભણશે? આ પરંપરા શી રીતે ચાલશે ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ છ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy