SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શાની ? * કષાયોનો જરા જેટલો પણ વિશ્વાસ કરવા જેવો નથી. આપણે તો શું અનંત ૧૪ પૂર્વીઓ, જેઓ ક્યારેક ૧૧મા ગુણઠાણે રહેલા હોય, તેઓ પણ કષાયો પર ભરોસો ન કરી શકે. અનંતા ૧૪ પૂર્વીઓ આજે પણ નિગોદમાં છે, તે આ જ કારણે. તેઓ ગફલતમાં રહી ગયા અને ઝડપાઈ ગયા. થોડા અસાવધ બનો એટલે મોહરાજા તમને ઝબ્બે કરવા તૈયાર જ છે. આગ લાગી હોય ત્યારે તમે શું કરો ? બંબાવાળાની વાટ જોતાં બેસો કે હાથવગું જે પાણી વગેરે મળે તેનાથી આગ બુઝાવવા પ્રયત્ન કરો ? કષાયો પણ આગ જ છે. ઉપમિતિકારે તો ક્રોધનું નામ જ વૈશ્વાનર આપ્યું છે. વૈશ્વાનર એટલે અગ્નિ ! અગ્નિનો જરાય ભરોસો ન કરાય તો ક્રોધાદિ કષાયનો ભરોસો શી રીતે કરાય ? બહારની આગ તો લાખો-કરોડોની દ્રવ્ય સંપત્તિ જ સળગાવે, પણ આ કષાયો તો આત્માની અનંત ગુણ સંપત્તિને બાળીને ખાખ કરી નાખે. ક્રોધાગ્નિને બુઝાવવા સમતારૂપી પાણી જોઈએ. * વિનયથી વિદ્યા મળે. વિદ્યાથી વિવેક મળે. વિનયપૂર્વક મેળવાયેલી વિદ્યા વિવેક મેળવી જ આપે. વિવેક એટલે સ્વ-૫૨નું પૃથક્કરણ કરવાની શક્તિ. ‘સ્વ' કોણ ? ‘પર’ કોણ ? એ વિવેક શક્તિથી જણાય છે. આ સમજાવવા જ ઉપા. યશોવિજયજીએ જ્ઞાનસારનું ૧૪મું અષ્ટક ખાસ વિવેક પર જ બનાવ્યું છે. વિવેક જ તમને ક્રોધાગ્નિથી દૂર રાખે છે. એ શીખવે છે : અગ્નિની ઉપેક્ષા કરો તો બીજાનું જ ઘર બળશે, એમ નહિ, તમારું પણ બળશે. ક્રોધની ઉપેક્ષા કરશો તો તમને જ નહિ, બીજાને પણ નુકશાન થશે જ. વિવેકથી વૈરાગ્ય પ્રગટે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨ ૩૫૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy