SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ચાતુર્માસ ફલોદી પછી બીજું ચાતુર્માસ રાધનપુર થયું. ત્યારે મેં વૃદ્ધ મુનિને સાથે રાખવાની વિનંતી કરેલી. * પૂ. કનકસૂરિજી પછી સમુદાયની હાલત વેર-વિખેર હતી. વૃદ્ધો જાણતા હશે. તે વખતે મારા પર સમુદાયની જવાબદારી આવી પડી. * પુફખરવરદી. સૂત્રમાં “સુઅસ ભગવઓ' કહીને શ્રતને ભગવાન કહ્યા છે. શ્રુતજ્ઞાન અને ભગવાન અભિન્ન છે. જેમ હું અને મારા વચનો અભિન્ન છે. મારા વચન તમે ન માનો તો તમે મને જ નથી માનતા. કારણ કે હું અને મારા વચન અલગ નથી. * આલોચના સાથે આરાધના પણ લખવી. જેથી મને પૂરો ખ્યાલ આવે. ડોક્ટર પાસે દર્દ ન છૂપાવાય, તેમ ગુરુ પાસે વિરાધના કે આરાધના ન છૂપાવાય. | * પત્રો ખૂબ જ ઓછા લખવા. પૂ. કનકસૂરિજી કહેતા : ધર્મલાભ જ છે. સુખસાતા જ છે. પત્ર શું લખવાના ? * એક મહાત્માએ જીંદગીના ઠેઠ છેવાડે મને લખ્યું : “મેં કદી આલોચના લીધી નથી. હવે ડંખે છે. મને આલોચના આપો. હવે શું આપવી ? અમે લખ્યું ઃ થાય એટલા નવકાર ગણો. સમાધિમાં રહો. તમારી આલોચના પૂરી થઈ ગઈ. બીજું શું લખાય ? જપની નિર્યુક્તિ ઃ “જ” જનમ-જન્મના “પ” પાપો જાય તે પ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૧૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy