SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકારમાં નિરત હોય. ગૃહસ્થ હોય તો પૈસા આદિના દાન દ્વારા પરોપકાર કરશે. આપણે શું કરીશું? સમ્યક્ જ્ઞાનનું દાન કરીશું. સૌ જીવોને અભયનું દાન આપીશું. આ મોટો પરોપકાર છે. જીવોને થોડી પણ અપાતી પીડા તે પરાપકાર છે. સાધુ પરાપકાર નિરત નહિ, પરોપકારનિરત હોય. 'पउमाइनिर्दसणा' સાધુ કમળ વગેરે જેવા હોય. છમસ્થ ભગવાનનું વર્ણન કલ્પસૂત્રમાં સાંભળો છો ને ? એ માત્ર વાંચવા-સાંભળવા માટે નથી. આપણે તેવા બનવાનું છે, એવો ભાવ લાવવાનો છે. પૂ. કનકસૂરિજીને સાંભળો ત્યારે એમ થાય ને કે મારે એમના જેવા બનવું જોઈએ ? બોલો, મારું અહીં આવવું કેમ થયું ? એક વખતે પૂ. લબ્ધિસૂરિજી મ.નું ચાતુર્માસ ફલોદીમાં હતું. મારા દાદા સસરા લક્ષ્મીચંદજીએ રાત્રે તેમને એકવાર પૂછેલું ઃ આ કાળમાં ઉત્કૃષ્ટ સંયમી કોણ ? ત્યારે પૂ. સાગરજી મ., પૂ. નેમિસૂરિજી મ. વગેરે ઘણા મહારથીઓ હતા, પણ બીજા કોઈનું નામ ન આપતાં પૂ. લબ્ધિસૂરિજીએ કચ્છ-વાગડવાળા પૂ. કનકસૂરિજીનું નામ આપેલું. ત્યારે તેમના પુત્ર મિશ્રીમલજી [કમલવિજયજી પણ હાજર હતા. એમણે મનમાં ગાંઠ વાળેલી : દીક્ષા લેવી તો પૂ. કનકસૂરિજી પાસે જ. મને દીક્ષાની ભાવના થઈ ત્યારે મેં એ વાત સસરા મિશ્રીમલ્લજીને જણાવી. સસરાએ કહ્યું : દીક્ષા તો મારે પણ લેવી છે, પણ પૂ. કનકસૂરિજી પાસે જ. આપણે બધા સાથે જ ત્યાં દીક્ષા લઈએ. મેં એમની વાત સ્વીકારી. - અને.... મારી દીક્ષા અહીં થઈ. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૯૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy