SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા સ્થળે જુઓ : હું એનો એ માહરો, એ હું એવી બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.' આત્મા કરતાં પણ વધુ પ્રધાનતા શરીરને આપી દીધી. સાચું કહેજો : ૨૪ કલાકમાં આત્મા ક્યારે યાદ આવે છે ? મારું માથું દુઃખે છે, પેટ દુઃખે છે, પગ દુખે છે, મને રહેવાની જગ્યા બરાબર મળી નથી, મારા ખોખા હજુ નથી આવ્યા. આખો દિવસ બસ આ જ વિચારણા....? આત્મા ક્યારે યાદ આવે ? યાદ આવે તો એક માત્ર પ્રભુ ભક્તિ વખતે...! શરીરની કાળજી રાખીએ તેટલી કાળજી આત્માની રાખીએ તો સમતા-સમાધિ દૂર નથી. “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા...' તમે સમતાના સરોવર છો ને ? કોઇ એવી આશાએ આવે તો આશા સંતોષી શકે ? આ સ્થિતિ કેમ ચલાવી શકાય ? સિહ બકરાની જેમ બે-બેં કરતો રહે એ કેમ સહી શકાય ? આત્મા જડ જેવો બની જાય તે કેમ ચલાવી શકાય ? આત્માને યાદ કરીને ભેદ જ્ઞાન પ્રાપ્ત નહિ કર્યું હોય તો મૃત્યુ વખતે સમાધિ નહિ રહે - એમ ચંદાવિઝય ગ્રંથ કહે છે. ભેદજ્ઞાન થઈ ગયું તો સમજી લો : દેવાલયમાં રહેલા દેવ દેહાલયમાં આવી ગયા. ભેદજ્ઞાન વિના પરિષહોને સહી નહિ શકીએ. ભેદજ્ઞાની શરીરના મૃત્યુથી ડરતો નથી. શરીર પડે તો પડવા દો. ડર શાનો? શરીર બીજું મળશે. ન મળે તો મોક્ષ મળશે. મૃત્યુથી ડર શાનો ? મૃત્યુ વખતે સમાધિ રાખવી ખૂબ-ખૂબ કઠણ છે. રાધાવેધ સાધવા જેવી કઠણ છે. “ચન્દ્રાવેધ્યક’નો આ જ અર્થ થાય. જેણે પહેલા શરીરને, મનને કસ્યા હોય તે જ આ રાધાવેધ સાધી શકે. ભેદજ્ઞાનીને અંતિમ સમયે ગમે તેટલી વેદના હોય, પણ તે કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy