SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય. કોઈપણ જીવનું અપમાન તે ભગવાનનું અપમાન કહેવાય. “બોસમાવિષqભાવ ” અજિત શાંતિમાંનું આ પ્રભુનું વિશેષણ સર્વ જીવરાશિ સાથે પ્રભુના અભેદભાવને બતાવનારું છે. પ્રભુએ જે આજ્ઞા કરી તે ન પાળીએ તો પ્રભુનો અનાદર થાય. - આ તીર્થની સ્થાપના ભગવાને કરી. માટે જ આ શાસન પ્રભુનું કહેવાય. તમે અત્યારે જે ઓરડીમાં રહો છો તે ઓરડી તમારી કહેવાય, તમારા શિષ્યો - તમારા કહેવાય, તો ભગવાને જેને શ્રાવક-શ્રાવિકા-સાધુ-સાધ્વી તરીકે સ્થાપ્યા તે ભગવાનના ન કહેવાય ? એટલે સંઘનો અનાદર તે ભગવાનનો જ અનાદર થયો. ભવભ્રમણનું મૂળ કારણ કોઈ હોય તો પ્રભુનો અનાદર છે. માટે જ પગામસાયમાં ૩૩ આશાતનાઓ બતાવી છે. સર્વ જીવરાશિની પણ આશાતના બતાવી છે. ગુરુની આશાતના એ મારા ભગવાનની આશાતના છે, એમ લાગે છે ? ભગવાન પ્રત્યે બહુમાન થવાથી ભવનિર્વેદ આવે. ભગવાન પ્રત્યે બહુમાન થયા વગર કોઈ જીવને કોઈ ગુણ ન મળે. માટે જ બધા જ ગુણોના દાતા ભગવાન છે, એમ માનજે. પ્રશ્ન થશે કે, ગુણો તો અમે પેદા કર્યા એ ભગવાને આપ્યા શી રીતે કહેવાય ? ભોજનની ક્રિયા ભલે તમે કરી પણ ભોજનમાં ભૂખ મટાડવાની શક્તિ ન હોય તો ? પત્થર ખાવ તો ભૂખ મટે ? તેમ ભગવાન હતા તો બહુમાન થયું ને ? બહુમાન ભલે આપણા આત્મામાં થયું પણ ભગવાન ન હોત તો થાત ? ભગવાન ન હોત તો ગુણો આવત ? * આપણે ચારિત્ર તો લઈ લીધું છે, પણ એમાં આનંદ કેમ નથી આવતો ? પ્રભુ-ભક્તિરૂપ તેનો ઉપાય બરાબર જાણતા નથી માટે આનંદ નથી આવતો. જેટલી પ્રભુની ભક્તિ વધે તેટલી શ્રદ્ધા વધે, આત્માનુભૂતિનું દ્વાર ખુલે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy