SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૮ ૨૭-૪-૨૦00, ગુરુવાર * પ્રભુનું જ્ઞાનામૃત પીએ તે અજરામર બની જાય. જિનવચન તો અમૃત છે જ, પણ તે પર માત્ર આદર કરો તો પણ કામ થઈ જાય. "जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणह ॥" જિન-વચનનો આદર તેના પાલન તરફ લઈ જાય છે. જિન-વચનથી આપણને સમજાય છે કે મળેલી સામગ્રી કેટલી દુર્લભ છે ! દુર્લભ ૧૫ વસ્તુઓમાંથી ૧૨ વસ્તુઓ તો વ્યવહારથી મળી ગઈ છે, માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ ! દ્રવ્યથી પણ જૈનકુળમાં જન્મ પામે, તે કેટલી પુણ્યાઇ કહેવાય? જિન-વચનની શ્રદ્ધા, અને શ્રાવકપણું પણ દુર્લભ ગણાય, તો સાધુપણાની વાત જ શી કરવી ? * કોઈ માણસ મળેલી મીઠાઈ રાખી મૂકતો નથી, આસ્વાદ માણે છે. સાધુપણું પણ માણવા માટે છે. મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ, સાચા સાધુપણાનો સ્વાદ જ્યારે માણીશું ? સાધુપણાના આસ્વાદની ઝંખના પણ જાગે તોય કામ થઈ જાય. ૨૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy