________________
પ્રકારની બ્રહ્મગુપ્તિથી ગુપ્ત હોય, T સ્યાદ્વાદશૈલીથી તત્ત્વોપદેશ આપનારા હોય, | રાજહંસની જેમ આત્મ-સરોવરમાં મગ્ન હોય. D વૃષભની જેમ ગચ્છનો ભાર ઉપાડનાર હોય.
* વૃષભ જેવા સાધુઓથી સમુદાય શોભે. પૂ. પ્રેમસૂરિજીની સાથે વિહારમાં અમે જોયું. ૫૫-૬૦ ઠાણા હતા. રસ્તામાં ગામડામાંથી વૃષભ સાધુઓ રોટલા + ગોળ વહોરી લાવતા.
અહીં તો ચારમાંથી પાંચ ઘડા લાવવાના હોય તો મોઢું ચડે. ખરેખર તો વ્યવસ્થાપકને કહી રાખવું જોઈએ : કંઈ પણ ખૂટે તો મને કહી દેવું ! બીજો કોઈ કામ નહિ કરે તો ....? એમ એની દયા વિચારવાની જરૂર નથી. મારું શું કર્તવ્ય છે ? તે જોવાનું છે.
સાત ચક્રોના ધ્યાનનું ફળ મૂલાધારના ધ્યાનથી વાસના જાય, પ્રાકૃતિક ચેતનાનું
ઉત્થાન થાય. સ્વાધિષ્ઠાનના ધ્યાનથી ભય, દ્વેષ, ખેદ જાય,
અભય-અદ્વેષ-અખેદ પ્રગટે. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક
પ્રગટે. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ ાય, નાહં ન
મગજન્ય આનંદ પ્રગટે. સહસ્ત્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૪૦