SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ * આગળ બેસવાની જેટલી પડાપડી કરો છો, તેટલી જ પડાપડી - તેટલી જ ઉતાવળ જો સાંભળેલું જીવનમાં ઉતારવા માટે કરો તો કામ થઈ જાય. * “કમ ખાના, ગમ ખાના, નમ જાના....' આ ત્રણ વાત યાદ રાખજે. ઘણી આપત્તિઓથી બચી જશો. છ સ્થાનોમાં છ આવશ્યક (૧) આત્મા છે ? પ્રત્યાખ્યાન મારું નથી તેનો ત્યાગ. પચ્ચકખાણ ત્યારે જ લેવાય, જ્યારે શેષ બચી રહેલી વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. (૨) આત્મા નિત્ય છે : કાયોત્સર્ગ : કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે : પ્રતિક્રમણ : પાપથી પાછા હટવું. પોતે કરેલા કર્મ ભોગવવા જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ ફરવું પડે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે : ગુરુ-વંદન જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે, તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે. અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છુટકારો આપે. (૫) મોક્ષ છે ઃ ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) : સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ = સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઈ શકે જો મોક્ષ હોય. (૬) મોક્ષનો ઉપાય છે : સામાયિક = સમતા : સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા. નિર્જરાથી મોક્ષ. સમતા એ મોક્ષનો ઉપાય છે. ૧૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy