SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તગડી-પરબડી ફા. વદ-૧૨ ૧-૪-૨૦૦૦, શનિવાર ગાથા- ૬૮ - જ્ઞાનગુણ. * સ્વાધ્યાય સાધુનું જીવન છે, અમૃત-ભોજન છે. આહાર વિના શરીર ન ટકે, તેમ સ્વાધ્યાય વિના આત્માના ભાવપ્રાણો ન ટકે. સ્વાધ્યાય જેવો બીજો કોઈ તપ નથી. કર્મ નિર્જરાના ઉપાયોમાં આ શ્રેષ્ઠ ઉપાય છે. જિનાગમ પર બહુમાન જગ્યું તે પ્રભુ-ભક્ત બની ગયો, સમજવો. કારણ કે ભગવાન અને ભગવાનના આગમ જુદા નથી. આવો ભક્ત, સમવસરણમાં બેઠેલો શ્રોતા જેટલો આનંદ માણી શકે, તેટલો જ આનંદ સ્વાધ્યાય કરતાં, આગમ વાંચતાં માણી શકે. * જ્ઞાનનું મહત્ત્વ પહેલા એટલા માટે ન બતાવ્યું કે એથી શિષ્ય સૌ પ્રથમ જ્ઞાન જ ભણવા લાગી જાય. પણ વિધિ વિના જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો ખતરો છે. માટે જ વિનય પ્રથમ બતાવ્યો. વિનય એટલે સમ્યગૂ દર્શન. એના વિનાનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય. જેનાથી આત્માનું અહિત થાય તેને જ્ઞાન કહેવાય જ કેમ ? જેનાથી બીજાની નિંદા કરવાનું મન થાય, જેનાથી અભિમાન વધે એ જ્ઞાનને જ્ઞાન શી રીતે કહેવાય ? કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy