________________
ા
છે
કારતક સુદ ર ૧૦-૧૧-૧૯૯૯, બુધવાર
સંસારમાં રખડતા-રઝળતા આપણા આત્માને અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા, ભવભ્રમણનો હજુ અંત નથી આવ્યો. મહાપુણ્યોદયે જ જિનવચન- શ્રવણ મળે. શ્રવણ સદ્ગુરુ સંયોગથી જ મળે. સગુરુ સંયોગ દુર્લભ છે. સદ્દગુરુસમાગમ યોગાવંચકપણાથી મળે.
(૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક. (૩) ફલાવંચક.
આ ત્રણમાં પણ યોગાવંચકપણું જ દુર્લભ છે. ગુરુમાં તારકતાના દર્શન કરવા તે યોગાવંચકપણું છે.
સમવસરણમાં ઘણીવાર જઈ આવ્યા, દેશના સાંભળી આવ્યા, પણ તારકભાવ પેદા ન થયો, એટલે બધું એળે ગયું.
અત્યારે ભગવાન નથી, ભગવાનનું શાસન છે. એમાં તારક-બુદ્ધિ પેદા થઈ જાય તો કામ થઈ જાય. આત્મજ્ઞાનની સાચી ભૂખ લાગી હોય તો આજે પણ તૃપ્તિ થઈ શકે તેમ છે.
પ૩૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧