________________
“ોઢું નત્નિ ને વોટ્ટ !'
એકલા જમ્યા, એકલા જવાના - મરતી વખતે કોણ સાથે આવવાનું ? આ જ્ઞાનાદિ ગુણો જ. તો પછી એ ગુણોને સંસ્કારના પુટ શા માટે ન આપવા ?
વજસ્વામીને ત્રણ વર્ષની ઉંમરે ૧૧ અંગ શી રીતે યાદ રહી ગયા ? આટલી બુદ્ધિ ક્યાંથી મળી ? તિર્યજાંભકના પૂર્વજન્મમાં રોજ પુંડરીક – કંડરીક અધ્યયનનું પ00 વાર પુનરાવર્તન કરતા, જે અષ્ટાપદ પર ગૌતમસ્વામીના મુખે સાંભળેલું હતું.
અધ્યાત્મ ગીતા : એમ ઉપયોગ વીર્યાદિ લબ્ધિ, પરભાવ રંગી કરે કર્મવૃદ્ધિ;
પરદયાદિક યદા સુહ વિકલ્પ, તદા પુણ્યકર્મતણો બંધ કલ્પ || ૧૫ |
પૌદ્ગલિક લાભ (ધનાદિ) મળતાં જીવ ગૌરવ આનંદ અનુભવે છે : હું સુખી થયો. પણ ખરેખર એ દુઃખનું મૂળ છે, તે જીવ સમજતો નથી.
જીવની મુખ્ય બે શક્તિઓ છે. (૧) ઉપયોગ શક્તિ – જ્ઞાન. (૨) વીર્ય શક્તિ – ક્રિયા.
આ બંને શક્તિઓને આપણે પરભાવ સંગી બનાવી દીધી છે. તેના દ્વારા કર્મો જ વધાર્યા છે.
પુણ્યકર્મ સ્વર્ગે પહોંચાડે, પણ મોક્ષે જવું હોય તો આત્મશુદ્ધિ જન્ય ગુણો જોઈએ. એના માટે સદ્દગુરુ - યોગ જોઈએ.
હિંસા બે પ્રકારે : (૧) દ્રવ્ય : જીવ-હિંસા (૨) ભાવ : ગુણ-હિંસા
આવેશ કરીએ છીએ ત્યારે ભાવપ્રાણની હિંસા કરીએ છીએ તે ભૂલી જઈએ છીએ.
દ્રવ્યહિંસા કરતા પણ આ ભાવહિંસા ખતરનાક છે. બીજાને ગુસ્સે કરીએ તે પણ હિંસા છે. બીજાને મારવાથી
૫૩૪
*
*
*
*
*
*
*
* *
*
* * કહે