SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ જો આપણે આ મન-વચન-કાયાના યોગોનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં જવું પડશે જયાં મન અને વચન નહિ હોય. શરીર મળશે ખરું પણ અનંત જીવો માટે એક જ ! એક શ્વાસમાં ૧૭ વખત મૃત્યુ, ૧૮ વખત જન્મ થાય, પૂરા મુહૂર્તમાં ૬પપ૩૬ વખત જન્મ-મરણ થાય, તેવા નિગોદમાં જવું પડશે. એકવાર ત્યાં ગયા પછી નીકળવું કેટલું મુશ્કેલ છે ? અત્યારે આપણે ટેકરીની એવી કેડી પરથી ચાલી રહ્યા છીએ કે એક તરફ ખાઈ ને બીજી તરફ શિખર છે. સ્ટેજ ચૂક્યા તો ખાઈ તૈયાર છે - નિગોદની ખાઈ ! શિખર – ઉર્ધ્વગતિ માટે પ્રયત્ન જોઈશે, ભયંકર પુરુષાર્થ જોઈશે. પ્રભુ-કૃપાથી જ આ શક્ય બને. પ્રભુની અનન્યભાવે શરણાગતિ સ્વીકારો. કરુણાદષ્ટિ કીધી રે, સેવક ઉપરે; ભવભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો...' પ્રભુ કૃપાથી મોહનવિજયજી જેવી સ્થિતિ આપણી પણ કેમ ન બને ? इच्छन्न परमान् भावान्, विवेकानेः पतत्यधः । परमं भावमन्विच्छन्नाऽविवेके निमज्जति ॥ પરમ ભાવોને ઈચ્છતો અવિવેકમાં સરી પડતો નથી. પરમ ભાવોને નહિ ઈચ્છતો વિવેક-પર્વત પરથી નીચે પડે છે. અશુભ યોગોથી જે પાપો બંધાય, તેનો નાશ શુભ ભાવોથી જ થાય, અશુભ ભાવોથી તો ઉલ્ટા પાપો વધે. જે અપથ્ય આહારથી રોગ થયો હોય તે અપથ્ય આહારના ત્યાગથી જ રોગનો નાશ થઈ શકે. આપણા દોષો આપણે જ પકડી શકીએ. બીજું કોણ પકડે ? ૨૪ કલાક કાંઈ ગુરુ સાથે ન હોય. કદાચ જાણે તો પણ ગુરુ વારંવાર ટક-ટક ન કરી શકે. સ્વમાન ઘવાય તો શિષ્યને ગુરુ પર પણ ગુસ્સો આવી જાય. એ તો જાતે જ કરવાનું છે. આ કામ આપણે નહિ ૩૦૬ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy