________________
वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
શ્રાવણ સુદ ૩ ૧૪-૦૮-૧૯૯૯, શનિવાર
• દેવોની જેમ અસંખ્યાત વર્ષનું આયુષ્ય નહોતું હરિભદ્રસૂરિજીનું, આપણા જેટલું જ હતું. કાર્ય પણ શાસનના, સંઘના, વ્યાખ્યાનના, વિહારાદિના કરતા જ હતા. છતાં અલ્પ જીંદગીમાં એમણે જે વિરાટ કાર્ય કર્યું છે તે જોઈને મસ્તક ઝૂકી પડે છે, એમના ચરણોમાં.
૦ સાધુ કરતાં અમારું જીવન સારું ! કમ સે કમ ભીખ તો નથી માંગતા અમે. અહીં અમે દાન-પુણ્યાદિ કરીએ છીએ. વળી, ત્યાં લોચાદિના કેટલા બધા કષ્ટો ?' આવું વિચારનારો વર્ગ પહેલા હતો તેમ નહિ, આજે પણ છે.
- આપણે સાધુઓ પણ ક્યારેક અણગમો થવાથી વિચારીએ છીએ : આના કરતાં તો દીક્ષા ન લીધી હોત તો... આવા વિચારોથી ભવાંતરમાં પણ ચારિત્ર ન મળે, એવું કર્મ આપણે બાંધી લઈએ છીએ.
આપણે ઈચ્છીએ છીએ : પેલાએ સ્વભાવ બદલાવવો જોઈએ. હું કહું છું : એ સંભવ નથી. આપણો સ્વભાવ આપણે
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
*
* * * *
* * *
* * * ૧૫૯