________________
આઝાદી પહેલાં અને પછી
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હાથબનાવટનાં નળિયાં ઇંટા વાસણુ, દેવદેવીઓનાં પૂતળાં, ધાડા હાથી વગેરે બને છે. પાટણ-ઉત્તર ગુજરાતમાં માટીનાં રમકડાં બનાવવાના હુન્નર ઘણા વિકાસ પામેલે.
૪૭૪
માટીનાં વાસણા અને રમકડાં ઉપર પ્રાકૃતિક દશ્યા અને ફૂલવેલ કે ભૌમિતિક આકૃતિએ ચીતરવામાં આવતી. આ કામ ખાસ કરીને સ્ત્રીએ કરતી.
સૌરાષ્ટ્રમાં મારીં-થાન જેવાં કેંદ્ર નળિયાં ટાઇલ્સ, ચીનાઈ માટીનાં વાસણુ, જેવાં કે કપ–રકાબી બરણી ડિશા વાડકા વગેરે માટે પ્રખ્યાત થયાં છે. લાખ કે ખરાદીકામ
આ હુન્નરનું મુખ્ય કેંદ્ર સ’ખેડા છે. લાકડા ઉપર કલાઈ-મિશ્રિત લાખથી મીનાકારીમાં નૈસર્ગીક દૃશ્યો, વેછૂટા, ભૌમિતિક આકૃતિએ દેરવામાં આવતી. એની બનાવટામાં ઘાડિયાં પલંગ રમકડાં સફા-સેટ ઝૂલા બાજઠ વગેરે અનેક વસ્તુ તૈયાર થાય છે.
હાથીદાંતની કલા
હાથીદાંતની બનાવટામાં હાથમાં પહેરવાનાં ચૂડા ચૂડીએ બલામાં વગેરે ઉપરાંત છરી–ચપ્પાંના હાથા, ઝવેરાતની પેટીઓ, ગુલાબદાની, દેવદેવીઓની નાની પ્રતિમાએ પણુ બનાવાતી. આ હુન્નરમાં ખાસ કરીને મણિયાર જ્ઞાતિના કારીગરા જોડાયેલા છે.