________________
આ પ્રકરણ ૪ ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ
પૂર્વભૂમિકા
સામાન્ય માન્યતા એવી છે કે ૧૮૫૭ના સંગ્રામમાં ગુજરાતે નહિવત ભાગ ભજવ્યા હતા તેમજ વિદેશી સત્તા સામેના કહેવાતા બળવામાં પિતાના દેશબાંધવોને એણે કોઈ ગણનાપાત્ર સહકાર આપ્યો ન હતો, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના નક્કર પુરાવા આ માન્યતાને તદ્દન ભૂલભરેલી સાબિત કરે છે.
૧૮૫૭ પહેલાં પણ ગુજરાત સરકારનાં અન્યાયી કાર્યો સામે સામુદાયિક આદેશન કર્યા હતાં. મુંબઈ સરકારે ૧૮૪૪માં મુંબઈ ઇલાકામાં મણ મીઠા પરને કર આઠ આનાથી વધારીને એક રૂપિયાને કર્યો. આનાથી એને વાર્ષિક ૨૨ લાખની વધારાની આવક મળે એમ હતી, પરંતુ આની સામાન્ય અને ગરીબ લેકેના જીવન-ધારણ પર ઘણું જ માઠી અસર થાય એમ હતું, આથી સુરતના તમામ વર્ગોના તથા તમામ જાતિઓને લેકેએ ૧૮૪૪ના ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં આ વધારા સામે પ્રચંડ દેખાવ જવા, સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસ સુધી સખત હડતાળ પડી. સુરતના આશરે ૩૦,૦૦૦ લેકે વિરોધી અરજી સાથે શહેરના મુલકી અધિકારી રેમિંટન તથા મુંબઈ ગર્વનરના સુરતના પ્રતિનિધિ આબુથનેટની કચેરીએ કુચ કરી ગયા. લશ્કર તથા પોલીસના એમને વિખેરવાના પ્રયાસ સફળ થયા નહિ. સતત ત્રણ દિવસ સુધી લોકોએ આ રીતે વિરોધી દેખાવ જ્યા. તમામ વર્ગના લોકોના ભારે વિરોધને કારણે છેવટે આબુથનટે ૧ લી સપ્ટેમ્બર, ૧૮૪૪ના રોજ મીઠા પરને વધારાને કર મોકુફ રખાયાની જાહેરાત કરી, પરંતુ આગળ જતાં સરકારે મીઠાવેરાને વધારે ફરી નાખવાની જાહેરાત કરતાં કરી લેકોમાં અસંતોષ ફેલાયે. પ્રત્યેક વર્ગને ભારે દબાણને લીધે છેવટે સરકારે મીઠા પરને વેરે દર મણે ૧ રૂપિયાને બદલે બાર આના લેવાની જાહેરાત કરી.
સુરતમાં આ પ્રકારનું બીજુ સામુદાયિક આંદોલન પણ થયું. સરકારે એપ્રિલ ૧૮૪૮માં બંગાળી ધારણનાં તોલમાપનાં નવાં સાધન દાખલ કર્યા. આની સામે લેઓએ અને મહાજનેએ સખત હડતાળ પાડી તથા મોટા દેખાવ જ્યા.