________________
શિકટ).
યુપીય પ્રવાસીઓએ કરેલી છે
પ૦૫
વારાફરતી કરવામાં આવી હતી. ૧૬૯૨ ના જાન્યુઆરીમાં એ સુરતથી ઇંગ્લેન્ડ જવા નીકળ્યો હતો.
સુરતની અંગ્રેજ કઠીમાં ૧૬૮૯ થી અઢી વર્ષ સુધી રહેલા ખ્રિસ્તી પાદરી જે. વિંટને સુરતના વેપારરાજગાર, હુન્નરઉદ્યોગ, વહીવટી વ્યવસ્થા, ત્યાંના લેકે (વેપારીઓ, મુસ્લિમ, હિંદુઓ) તથા એમની ધાર્મિક અને દયાવૃત્તિ તેમજ પાંજરાપોળ વગેરે સંબંધી વિરતૃત વર્ણન આપ્યું છે તે નોંધપાત્ર છે. ૨૯ ૧૭મી સદીના અંતમાં આવેલા ઇટાલિયન પ્રવાસી જેમેલી કેરેરીએ ખંભાતની પુરાણી જાહેરજલાલી ઓછી થઈ ગયાનું નેંધી જણાવ્યું હતું કે એમ છતાં એ શહેર આબાદ હતું. •
૧૮ મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં મરાઠાઓનું જોર વધી રહ્યું હતું, રાજકીય અરાજકતા વ્યાપક બનવા લાગી હતી. આવા સંજોગોની અસર યુરોપીય પ્રવાસીઓની અવરજવર પર પડી હતી. અંધાધૂંધીની અસર સમાજજીવન પર પણ પડી હતી. ૧૭મી સદી દરમ્યાન આવેલા પ્રવાસીઓના હેવાલ પરથી ગુજરાતના સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનની સારી માહિતી મળે છે. એમાં પણ બે મુદ્દા નોંધપાત્ર છે. પહેલું તે એ છે કે આ સમયમાં સુરતથી અમદાવાદ અને સુરતથી ખંભાત જવા માટે કેવા ભૂમિમાર્ગો હતા એ જાણવા મળે છે. બીજું, કે ભારતમાં આવતા કોઈ પણ પ્રવાસીને સૌ પ્રથમ સુરત જ આવવું પડતું અને વળતા પ્રયાણ માટે પણ સુરત જ પાછા ફરવું પડતું. આ સમયમાં સુરત આંતરરાષ્ટ્રિય વેપાર-કેદ્ર બની ગયું હતું.
પાટીએ
.?. William Foster (Ed.), Early Traveis in India, 1583-1619, p. 293 2. Churchil, Collection of Voyages and Travels, Vol. VI, pp. 328 f.
3. 2461 E. Grey S121 22 Maa The Travels of Pietro Della Valle " (PDF)–માંથી ઉપયોગી માહિતી તારવી છે. ૪. TPDS, Vol. I, p. 30
૫. Ibid, pp. 35–37; 40–41 ૬. Ibid, pp. 67 f. ૭. Ibid, pp. 70 . ૮. Ibid, pp. 83–85 ૯. એ આની સરખામણું રમની વિજયસૂચક ત્રણ કમાન સાથે કરે છે. ૧૦. ખંભાત પાસે દરિયાની ભરતીનાં મોજા ૩૩ ફૂટ (૧૦.૦૬ મીટર) જેટલાં ઊછળતાં.
ભરતીના પાણીને વેગ એક કલાકના ૬થી ૭ દરિયાઈ માઈલ જેટલો હતો એમ કહેવાય છે.