________________
૨૫૦]
મુઘલ કાલ
આસપાસની જગા સાથે કૂવો રાજ્ય તરફથી સાળવી જ્ઞાતિને મળે છે એ શક્ય છે. સતનતના સમયને ફારસી શિલાલેખ અને પ્રસ્તુત ગુજરાતી શિલાલેખ–જેમની વચ્ચે અઢીસો-ત્રણસો વર્ષનું અંતર છે—જોડાજોડ મુકાયેલા છે તથા એ સ્થળે ધર્મશાળા અને શિવાલય બંધાયાં છે એ પણ એ સિવાય શક્ય ન બને. વિશિષ્ટ કારીગરીને રાજ્ય તરફથી મળેલા વિશિષ્ટ સામાજિક આશ્રયનું એક સમર્થક પ્રમાણ આ શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે.
મુઘલ સૂબા હૈદરકુલીખાનના દીવાન રઘુનાથદાસે અમદાવાદમાં કાલુપુર અને સારંગપુર દરવાજાની વચ્ચે, હાલના પાંચકૂવા દરવાજાની બહાર, ઈ.સ. ૧૭૬૧૨૨ માં એક વાવ કરાવી હતી એમ “મિરાતે અહમદી” નેધે છે. એ વાવ હાલ મેજૂદ છે.
મુઘલકાલમાં ગુજરાતી હિંદુઓ પૈકી નાગરો અને કાયસ્થાએ સરકારી નેકરીમાં અગત્યના હોદ્દા સંભાળ્યા હતા તથા ફારસી રાજભાષા હાઈ ફારસી ભાષાસાહિત્યનું પણ સારું ખેડાણ એમણે કરેલું છે. એવા હિંદુ રાજ્યાધિકારીએમાં ઈશ્વરદાસ નાગરનું નામ અગ્રગણ્ય છે. ઈશ્વરદાસ એક કુશળ વહીવટકર્તા. અને મુત્સદ્દી હોવા ઉપરાંત વિદ્વાન પણ હતો અને ઔરંગઝેબની નોકરીમાં હતે. ઔરંગઝેબના રાજ્યકાલની, હિંદુઓને હાથે ફારસીમાં લખાયેલી, સમકાલીન તવારીખો બે છે––એક બુરાનપુરના ભીમસેન કાયસ્થ રચેલ “નુકઇ દિલકશ” અને બીજી પાટણના નાગર ઈશ્વરદાસે રચેલ “કુતુહાતે આલમગીરી” અથવા “આલમગીરની ફતેહે. • જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સંધિ કરાવી એ ઈશ્વરદાસના જીવનનું મહત્વનું રાજકીય કાર્ય હતું. દર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચેની મુલાકાત અમદાવાદમાં યોજાઈ એનું ઝીણવટભર્યું વર્ણન ઈશ્વરદાસે પોતાના ગ્રંથમાં કર્યું છે. ઔરંગઝેબે ઈશ્વરદાસને ઊંચે લશ્કરી દો અને મેડતાની જાગીર આપી હતી એવો ઉલ્લેખ એ ગ્રંથમાં જ છે. એ ગ્રંથ ઈશ્વરદાસે ૭૬ વર્ષની વૃદ્ધ વયે ઈ.સ. ૧૭૩૧ માં પૂરો કર્યો હતો. ૨૧ રાજા છબીલારામ બહાદુર તથા એમના કુટુંબીઓ અને વંશજો ગિરધર બહાદુર, દયા બહાદુર, ચમન બહાદુર ઉર્ફ ભવાનીરામ, રાજા ગુલાબરામ, રાજા આનંદરામ વગેરેએ ઔરંગઝેબ પછીને ઉત્તર મુઘલકાલમાં રાજ્યપ્રકરણ અને યુદ્ધકલાના વિષયમાં મોટી નામના મેળવી હતી. છબીલારામ ગુજરાતી નાગર હતા, પણ એમની કર્મભૂમિ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હતી. છબિલરામના પુત્ર દયાબહાદુરની પુત્રી વેણીકુંવરનું લગ્ન જૂનાગઢના નાગર ગૃહસ્થ કુંવરજી મહેતા સાથે થયું હતું. કુંવરજી અને વેણ કુંવરના પુત્ર તે પછીથી જૂનાગઢના