SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ, ] ગુજરાતમાં ઇસ્લામના ફેલાવા અને એની અસર [ ata સુલતાન અહમદશાહ ૧ લાના સમય( ઈ.સ. ૧૪૧૧-૧૪૪૨ )માં પાટણના સ્વતંત્ર વિચારસરણી ધરાવતા જાફર નામના ઉપદેશકે ઇસ્માઇલી શિયા પંથ છેડીને સુન્ની પાંચ સ્વીકાર્યો અને એના પ્રભાવથી ઘણા શિયા વહેારા પણ સુન્ની અન્યા, અામાંથી સુન્ની વહેારા કામના ઉદ્ભવ થયા. જાફરની પ્રવૃત્તિને સુલનન અહમદશાહના ટેકા મળતાં એમણે મોટા પાયા પર પેાતાના મતને પ્રચાર કર્યા." જાના કાર્યને લગભગ ૧૦૦ વર્ષ પછી સિંધમાંથી ગુજરાતમાં આવેલ સૈયદ અહમદ જાફ઼ર શીરાઝીએ શિયા વહારા અને સુન્ની વહેરાએ વચ્ચે થતે મેટીવહેવાર બંધ કરાવીને પૂર્ણ કર્યું" અને બંને કામ સદાને માટે અલગ પડી ગઈ. સુલતાનની સુની પ્રચારા તર? હમદર્દી રહેવાથી જારી સુન્ની વહેારા કામને વિસ્તાર વધતા ગયા. અમદશાહ ૧ લોના સમયથી ગુજરાતમાં સૂફ્રી મતના પ્રચારાર્થે સતે। અને ઉપદેશકા આવવા લાગ્યા. શેખ અહમદ ખĚ ગજ બક્ષ (મુ. ઈ.સ. ૧૪૪૫) સૈયદ બુરહાનુદીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવી ઉર્ફે કુએ આલન (મૃ. સ. ૧૪૫૨), શેખ મહમૂદ ઈરજી (મૃ. ઈ.સ. ૧૪૫૮), સૈયદ મુહમ્મદ શાહે આલગ (મૃ. ઈ.સ. ૧૪૭૫), સૈયદ અહમદ જહાનશાહ (મૃ. ઈ.સ. ૧૫૯૪-૯૫ ), શેષ જમાલુદ્દીન ઉર્ફે જમ્મુન (મૃ. ઈ.સ. ૧૫૭૩), અને અલાઉદ્દીન અતા મુહુમ્મુદ (મૃ. ઈ.સ. ૧૫૭૮-૭૯) ગુજરાતમાં આવી વસ્યા. સુલતાના તરફથી ઇસ્લામના પ્રચારાર્થે તેને આર્થિક સહાય મળતી હતી. આ સૂફી સાતા પવિત્ર જીવન, વિદ્વત્તા અને ઉપદેશથી પ્રભાવિત થયેલા લેકામાં ચિશ્તિયા, સાહવયા, શત્તારિયા અને મક્રિખિયા એવા ચાર સૂફી ફિરકાઓના પ્રચાર થયા.૭ ગુજરાતમાં ઇસ્માઇલી શિયા પ ંચનું ખી પ્રસ્તુત કાલમાં વહેારા કામ તરીકે વિશાળ વૃક્ષમાં પરિણમ્યું હતું.” તેથા ઇ.સ. ૧૫૩૯ માં આ પંથના વડા મુલ્લાંછ સાહેબ યૂસુ* બિન સુલેમાનને યમન છેડવાની ફરજ પડી ત્યારે તે ગુજરાતમાં સિદ્ધપુરમાં આવી વસ્યા. વડા મુલ્લાંસાહેબના આગમનથી શિયાઓમાં નવે જુસ્સ ઉમેરાયા અને એમણે કરેલા પ્રચારથી ઉત્તર ગુજરાતમાં આ પંથને ફેલા વધવા લાગ્યા.૯ બીજી બાજુ સ્માઇલી નિઝારી (ખેાજા) થના પ્રસ્તુત કાલમાં વિદેશમાંથી આવેલા શમ્મુદ્દીન સદુદ્દીન કખીરુદ્દીન અને છામુદ્દીન નામના ઉપદેશ્તાએ હિંદુ ધર્મના સિદ્ધાંતા અને આચાર સાથે સમન્વય સાધીને વ્યાપક પ્રચાર કર્યો.ઞામાં સદુદ્દીન અને ઇમામુદ્દીનનાં કાર્યોનું વિશિષ્ટ મહત્ત્વ છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy