SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] [31. વાઘેલા રાજા કર્ણદેવનું શાસન ખતમ થયું અને ગુજરાતમાં ઇસ્લામી સત્તાના ઉદ્દય થયા તે પછી સુલતાન અલાઉદ્દીને એના સાળા મલેક સંજર અપખાનને ગુજરાતના પ્રથમ નાઝિમ તરીકે નીમીતે એ પ્રદેશને વહીવટ કરવા માટે મેાકલ્યા. આ બનાવના વિગતવાર હેવાલ શાયર અમીર ખુશરેા(મૃ.ઃ ઈ.સ. ૧૩૨૫)એ એના મહાકાવ્ય ૬વલરાની-વ-ખિઝરખાન' ઉર્ફે અશીકા'માં આપેલા છે. એમાં ગુજરાતના વાધેલા રાજા કર્ણદેવની પુત્રી દેવલદેવી અને સુલતાન અલાઉદ્દીનના પુત્ર ખિઝખાન વચ્ચેના પ્રેમની કથા છે. એમાં શાયરે કરેલું બનાવનું નિરૂપણ સાવ કપેાલકલ્પિત નથી. સલ્તનત કાલ મૌલાના ઇસામીએ ઈ.સ. ૧૩૫૦ માં માત્ર પાંચ મહિનાના ગાળામાં ‘ફુતૃ ્-ઉમ્મૂ-સલાતીન’ નામક મહાકાવ્યની રચના પૂરી કરી હતી અને એ પુસ્તક એણે બહુમની વંશના પ્રથમ સુલતાન અલાઉદ્દીન બહુમનશાહ(ઈ.સ. ૧૩૪૭– ૧૩૫૮)ને અણુ કર્યું હતું. ગુજરાતના ઇતિહાસ અંગે એમાં મહત્ત્વની માહિતી છે. એમાં ‘ધ્રુવલરાની-વ-ખિઝરખાન'માં આપેલી વિગત ટૂંકમાં આપી છે. એની મહત્તા એમાંનાં વિગતવાર વર્ણતામાં છે, જેમાંથી સમયનેા અંદાજ મળી શકે એમ છે. ઇબ્ન તૂતા (મૃ. : ઈ.સ. ૧૩૭૭–૭૮) નામના મેરેાક્કોના મશશ્નર મુસાફર સુલતાન મુહમ્મદ તુગલુકના સમયમાં ઈ.સ. ૧૭૩૩ માં ભારતમાં આવ્યે હતેા. એ લગભગ ૧૧ મી નવેમ્બરથી ૪ થી ડિસેમ્બર ૧૩૪૨ માં કરેલી ગુજરાતની મુસાફરી દરમ્યાન નંદુરબાર, ખંભાત, કાવી, ગંધાર, પીરમ બેટ, ધેાધા વગેરે સ્થળાએ ગયા હતા. ત્યાં એણે જે કાંઈ જોયેલું અને સાંભળેલું તે ‘· તેાહતુન્ તુðાર ફ્રી ગરાઈ ખિલઅન્સાર વ અજાખિલઅસફાર' નામના પેાતાના દળદાર પ્રવાસગ્ર ́ચમાં નાંધ્યુ છે. આ પુસ્તક 'હિલા'ના નામે પણ ઓળખાય છે. એમાં ગુજરાતની સામાજિક સ્થિતિ પર સારા એવા પ્રકાશ પાડવામાં આવ્યું છે. ઝિયા ખરની ( મૃ. ઈ.સ. ૧૩૫૬) નામનેા ઇતિહાસ-લેખક સુલતાન મુહમ્મદશાહ તુગલુક અને સુલતાન ફીરાઝશાહ તુગલુકના સમય દરમ્યાન થઈ ગયા. એણે ઈ.સ. ૧૩૫૬ માં લખેલી ‘તારીખે ફીરાઝશાહી'માં સુલતાન ગિયાસુદ્દીન(ઈ.સ. ૧૩૨૦ )થી માંડીને ફીરાઝશાહ તુગલુકના શાસન દરમ્યાન ઈ.સ. ૧૩૫૬ સુધીતેા ઇતિહાસ આપ્યા છે. એમાં ગુજરાત અંગેના એ સમયના અનાવાની વિગત છે. શમ્સ સીરાઝ અફીફે ઝિયા ખરનીની તારીખે ફીરે।ઝશાહી'ના અનુસધાતમાં પેાતાની તારીખે ફીરોઝશાહી'ની શરૂઆત કરી હતી. એનું લખાણ ઝિયા
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy