SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ બુ] આર્થિક સ્થિતિ [૧૯૫ અમદાવાદનું જરીકામ તથા કિનખાબનું કામ પ્રશ ંસા પામી ચૂકયું હતુ.પ અને એની પાસેનું સરખેજ પશ્ચિમ ભારતનું ગળીનું મુખ્ય મથક ગણાતું હતું.પછ સરખેજની આ ગળી છેક યુરેાપ જતી.૫૮ કાશીમાં બનેલી સુંદર પાધડીએ આ બદરા દ્વારા ઈરાન અને તુર્કસ્તાન સુધી પહેાંચતી.પ૯ ભરૂચમાં રેશમી કાપડના સારે વેપાર ચાલતા હતા.ક॰ દિલ્હીનું કાપડ ગુજરાતમાં આવતું તે સંભવત: વિદેશ માકલવા માટે જ હશે. ૧ યુરાપ સાથેના વેપાર માટે ભાગે અમે દ્વારા રાતા સમુદ્રનાં બંદરાએ થઈને થતેા હતેા,કરે જે ફિરંગીએથી સહન ન થતાં તેએએ નવે રસ્તે ભારત સાથેના વેપાર વધારવા મુસલમાના સાથે આથડીને પણ ભગીરથ પ્રયત્ન કર્યાં.૬૩ ગુજરાતનું કાપડ એ સમયે દુનિયાભરમાં પ્રસિદ્ધ હતું. ૬૪ મેવાડના એસવાલ જ્ઞાતિના તેાલાશાહના પુત્ર કર્માંશાહને। કાપડને વેપાર દેશાવરા ખાતે બહુ મોટા હતા એટલે એનુ ઉપનામ ‘દાર્શી' પડયુ હતુ.. પ ચાંચિયાને ઉપદ્રવ આ દરિયાઈ વેપારમાં કાઈ વાર અવરોધરૂપ બની જતા. ૧૪ મી સદીના પીરમબેટના મેાખડાજી ગ।હેલનાં ચાંચિયા તરીકેનાં પરાક્રમ બહુ જાણીતાં છે. ૬૬ પાછળથી પીરમબેટના ચાંચિયા હાંશિયાર દરિયા ખેડનાર નાવિકા અને વેપારીએ બની ગયા હતા એ હકીકત રસપ્રદ છે.‘૭ ચાંચિયાએને વશ કરવા નૌકાસૈન્યા રહેતાં, એટલું જ નહિ, પણ વેપારીયે પેાતાનાં વહાણામાં લડાઈ માટેની તૈયારી રાખતા. ૬૮ મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતનું વહાણવટુ', નૌકાસૈન્ય તેમ જ દરિયાઈ વેપાર ઘણાં જ વધ્યાં.૬૯ બહાદુરશાહની કતલ પછી ગુજરાતની સમુદ્ર ઉપરની સત્તા ઘટી, છતાં લોકાના સાહસને લીધે એની વેપાર પર બહુ અસર થઇ નહિ.૭૦ હિંદમાં ગુજરાતનુ નૌકાસૈન્ય શ્રેષ્ઠ હતું.૭૧ જરૂરિયાત પ્રમાણેનાં વિવિધ પ્રકારનાં વહાણુ પણ સારા પ્રમાણમાં બનાવાતાં. દીવ ગયા પછી સુરત ભરૂચ દમણ અને ખંભાતમાં સાગના લાકડાનાં મજબૂત ૧૫૦૦ લડાયક વહાણુ બાંધવા ખાં આવ્યાં હતાં.૭૨ બળવાન નૌકાસૈન્યને પ્રતાપે ગુજરાતના દરિયાઈ વેપાર આ સમયે ટોચ પર પહોંચ્યા હતા.૭૩ ગુજરાતના પાટનગર અમદાવાદને અમૂલ ઝલે ‘દુનિયાનું બજાર' કહ્યું છે.૭૪ સિંકદર લાદી કહેતો કે ગુજરાતના સુલતાનની જાહેોજલાલી એના તાબાનાં ગુજરાતનાં ૮૪ બંદરાના પરવાળાં તથા મેાતીના વેપાર પર આધાર રાખે છે.૭૫
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy