SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] સોચ કાલથી ગુપ્તકાલ [31. ગુજરાત સાથે જોડે છે. એ જ કારણે પૂર્વમાં ઉજ્જયની અને ધારાના વર્તુલમાં એ આવે છે અને દક્ષિણે સેાપારા સુધી એનાં ચરણ લંબાય છે. પૌરાણિક અનુશ્રુતિઓને આન-સુરાષ્ટ્ર અને લાટ પરિચિત છે. મહાભારતમાં આનમાં અને સુરાષ્ટ્રોના અનેક નિર્દેશ છે, પણ લાટાનેા નિર્દેશ નથી, પરંતુ સભાપમાં મહનિવસિન:નેા ઉલ્લેખ છે. મહાભારત દ્વારકાને આન નગર કે આનનગરી જણાવે છે, પર ંતુ પ્રાચીન કાલમાં આનર્ત-સુરાષ્ટ્રનુ પ્રદેશ-યુગ્મ પ્રસિદ્ધ છે. આ પ્રદેશયુગ્મની રાજધાની કઈ ? સૈા પ્રથમ કુશસ્થલીને નિર્દેશ છે. જે કુશાની આ સ્થલી છે તે કુશા કાણુ એ પૌરાણિક અનુશ્રુતિએની ચર્ચાના વિષય છે. અહીં એટલું નોંધવું બસ થશે કે મહાભારત-ઉદ્યોગપ માં દુર્ગંધન જેવા જે અઢાર રાજાએએ પેાતાની જ્ઞાતિઓનાસગા-સંબધીઓને ઉચ્છેદ કર્યો તેમાં એક રાષ્ટ્રાનાં પુશહિત (સુરાષ્ટ્રાના કુરાર્દિક) ને જણાવે છે. કુશર્દિકના જ્ઞાતિ-ઉચ્છેદને યાદવા સાથે કાઈ સંબધ છે કે નહિ એ જાણવાનુ કાઈ સાધન નથી, પરંતુ મહાભારતમાં સભાપર્વમાં યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જરાસંધના ભયથી અમે પલાયન કરવાનું વિચારી પ્રતીચી કહેતાં પશ્ચિમ દિશાને આશ્રય લીધા અને ત્યાં રૈવતથી ઉપશાબિત રમ્ય કુશસ્થલી વિશે નિવેશ કર્યાં, અને ત્યાં એવા “દુ સંસ્કાર” કર્યાં કે સ્ત્રી પણ એમાં રહી યુદ્ધ કરે. tr પુરાણામાં પણ આ ખીના એક યા બીજા પ્રકારે નાંધાઈ છે.૪ r¢ જૈન અનુશ્રુતિએ પણ ખારવતી ' (દ્વારવતી) શ્રીકૃષ્ણપ્રમુખ યાદવેાની રાજધાની હતી એવું કથન કરે છે. ઉ. ત. શ્વેતાંબર જૈન-માન્ય પિસ્તાળીશ આગમામાં સૈાથી પ્રાચીન મનાતાં બાર અંગેામાં છઠ્ઠા અંગ જ્ઞાતાધમ કથાના (જેમાં સચવાયેલી અનુશ્રુતિએ ઈ.સ. પૂર્વેના સૈકાઓની ગણાય) પાંચમા અધ્ય યનમાં “ખરવતી ’નું વર્ણન છે. “ખારવતી'' (દ્વારવી) નામે નગરી હતી. એ પૂર્વપશ્ચિમ લાંબી, ઉત્તરદક્ષિણ વિસ્તીર્ણ અર્થાત્ પહેાળી, નવ ચેાજન પહેાળી, ખાર યાજન લાંખી હતી ઈત્યાદિ. એને સાના જેવા પ્રવર (ઉત્તમ) પ્રાકાર (કાટ) હતા ઇત્યાદિ. એ ખારવતી નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશા ભાગમાં રૈવતક નામે પર્યંત હતા ત્યાદિ. એ રૈવતકથી અદૂર પ્રાંતે ન ંદનવન નામનું ઉદ્યાન હતુ ત્યાદિ. જે ઉદ્યાનમાં સુરપ્રિય, નામનુ યક્ષાયતન હતું. એ ખારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહે છે'.પ
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy