SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. 105). કનિંગહમ (એજન ૧→) પ્રમાણે તક્ષિલા અલેકઝાન્દરના સમયથી ઈસ્વી પાંચમી સદી સુધી મોટું શહેર રહ્યું હતું. પછી એને સ્પષ્ટતા મહાન વૈત હુણ વિજેતા મિહિરકુલે (ઈ. સ. ૫૦૦ ૫૫૦ ) ઉજજડ કરી ૧૦૦ વર્ષ પછી હ્યુએન સિઅંગે એની મુલાકાત લીધી ત્યારે એ દેશ કાશ્મીર નીચે હતો, રાજકુલ લુપ્ત થયું હતું ને અમીર 24711 HII Asal Sal ( Beal's Buddhist Records, I. 136). રુમદેશના ઉલ્લેખ સિયામ અને કંબોડિયાની તેમજ જાવાની અનુકૃતિઓમાં રહેલા છે. રુમના કાફલા બંગાળ અને ઓરિસ્સાની અનુશ્રુતિઓમાં પણ સમુદ્રકાંડા પર હુમલો કરતા નોંધાયા છે (Fergusson's Architecture, III. 640 ). રુમના ઉલ્લેખને કાબેડિયન મંદિર મહાન અલેકઝાન્ડરની કૃતિ હતાં એ અનુશ્રુતિ સાથે ડતાં કર્નલ યુલે (Enc)". Brit., Article on Cambodia) સુમને ગ્રીસ કે એશિયા માઇનોરના મુસલમાની અર્થમાં ધટાવે છે ( Architecture, III, 640). વિવિધ ઉલ્લેખોએ ફર્ગ્યુસનને સૂચવ્યું કે આ પરાક્રમ બંગાળના ઉપસાગરમાં ખેડાયેલા રોમન વેપારની અસ્પષ્ટ સ્મૃતિ છે, પરંતુ મને નિયમ હતો કે કોઈ કાફલો સિલોનની Yâ 42112 xal ons be this (Reinaud Jour. As. Ser. VI, Tom. I, page 322). આ નિયમ પ્રસંગવશાત બાજુએ મુકાતો હશે; જેમકે ઈ. સ. ૧૬૬ માં જયારે શહેનશાહ માસ ઓરેલિયસે સમુદ્રમાર્ગ ચીનમાં એલચી મોકલેલે. છતાં એ અસંભવિત લાગે કે બંગાળના ઉપસાગરમાં રોમન વેપાર જવા અને કંબોડિયાની અનુકૃતિમાં વસાહતી અને સાંસ્થાનિક તરીકે સ્થાન પામવાને કદી પૂર સક્રિય હતો. રેમના સંબંધ ભારતના પશ્ચિમ ભાગ સાથે ગાઢ અને મહાવના હતા, નહિ કે પૂર્વ સાથે. મા એન્ટોનીના સમયથી જસ્ટિનિઅનના સમય સુધી એટલે કે ઈ. ૫. ૩૦ થી ઈ. સ. પપદ સુધી પાર્થેિઆઈ ઓ અને સાસાનીઓ સામે મૈત્રીબદ્ધ તરીકેના એમના રાજકીય મહત્વે તથા પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના મુખ્ય વેપારમાર્ગોમાંના એકના નિયામક તરીકેના વાણિજ્યિક મહવે કુષાણે કે શકો જે સિંધુખીણ અને બૅક્રિયા પર સત્તા ધરાવતા તેઓની મૈત્રીને રોમ માટે સહુથી ભારે મહત્વની બાબત બનાવી. એ મૈત્રી ગાઢ હતી એ હિરઅન એલચીઓને સિંધુના ઉપરવાસમાં અને કુષાણો કે ભારતીય શોના મુલકમાં થઈને રોમના એલચી ખાતામાંથી પાછી કરતાં રક્ષણ આપતા રોમન સેનાપતિ કબુલોએ ઈ. સ. ૬૦ માં બતાવ્યું છે (Rawlin. son's Parthia 271 સરખાવ. ), ગાઢ સંબંધ તોલેમી( ઈ. સ. ૧૬૬)એ અને લગભગ ૧૦૦ વર્ષ પછી (ઈ. સ. ર૪૭) “પેરિપ્લસ”ના કર્તાએ નોંધેલી સિંધુખીણ અને બૅકટ્રિયાની સચોટ વિગતો વડે તેમજ પેરિપ્લસ”માં જણાવેલી સિંધના રાજાઓ માટે જુદી મૂકેલી ભેટેની ખાસ કિંમત વડે દર્શાવાય છે. આ લાંબા સળંગ સંબંધનું એક પરિણામ એ હતું કે કુણને અને પેશાવર તથા પંજાબના બીજા રાજાઓને રેમન સિક્કાઓ. ખગોળ અને સ્થાપત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. કેટલાક અફઘાન કે બૅટ્રિયન સિક્કાઓ પર “રમ” શબ્દ હોય છે, જે સ્પષ્ટતા કઈ અદ્યાન શહેરનું નામ છે. આમ છતાં રમે વાયવ્ય હિંદ પર આધિપત્ય જમાવવા કોશિશ કરેલી એવું ધારવાને કંઈ કારણ જણાતું નહી; કોઈ સ્થાનિક રાજને રમના મહાન નામને ઉપયોગ કરવા દેવામાં આવતો એવું ધારવું તો એનાથીયે ઓછું સંભવે છે. એ સંભવિત લાગે છે કે બંગાળના ઉપસાગરમાં
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy