SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહપુરને સિંહલ વંશ [૪૧૯ સિંહપુરને રાજપુત્ર વિજય, ભારતમાં જે દિવસે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે જ દિવસે લંકાદ્વીપમાં આવેલ એવું સિલેનની બૌદ્ધ અનુશ્રુતિમાં જણાવવામાં આવ્યું છે એ તો સ્પષ્ટતઃ સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપજાવેલું જણાય છે, કેમકે અશોક મૌર્યના સમકાલીન દેવોના પ્રિય તિરૂ( તિષ્ય)ની પહેલાં ત્યાં વિજય વગેરે પાંચ જ રાજા થયા, છતાં તેઓએ ૩૮+૩+૨ ૦૭૦ + ૬ =૨૧૮ વર્ષ રાજ કર્યું ને વચ્ચે ગાદી ૧+૧૩=૧૮ વર્ષ ખાલી રહી, એ રીતે વિજયના રાજ્યાભિષેકથી દેવના પ્રિય તિસ્યના રાજ્યાભિષેક સુધીમાં કુલ ૨૩૬ વર્ષ વીત્યાં એવું જણાવ્યું છે એમાં કેટલાક રાજાઓના રાજ્યકાલ વધારે પડતા લાંબા ગણાવવામાં આવ્યા છે.૫૫ રાજ્યારોહણ-સમયે ૩૭ વર્ષની વયનો થયેલો પાંડુક અભય ૭૦ વર્ષ રાજય કરે ને એના પછી ગાદીએ આવેલે એને પુત્ર મુસિવા ૬૦ વર્ષ રાજ્ય કરે એ દેખાતી રીતે કપોલકલ્પિત જેવું લાગે છે. વસ્તુતઃ દેવોના પ્રિય તિસની પહેલાંના પાંચ રાજાઓને રાજ્યકાલે જણાવ્યું છે તેના કરતાં લગભગ સો વર્ષ જેટલે ઓછ ગણાય. એ હિસાબે ત્યાં વિજયનું આગમન નંદવંશના રાજકાલ દરમ્યાન ઈ. પૂ. ચોથી સદીમાં થયું ગણાય. સિલોનની અનુકૃતિ અનુસાર ત્યાં વિજય, પાંડુ વાસુદેવ અને અભય એ ત્રણ જ સિંહનું રાજ્ય પ્રવર્તે લું, જે કુલ ૩૮(+i)+૩૦+૨ = ૮૯ વર્ષ જેટલો સમય જ રહેલું, છતાં લંકાને સિંહલદ્વીપ' નામ મળ્યું, ત્યાંની મુખ્ય પ્રજા સિંહ” નામે ઓળખાઈને તેઓની ભાષા પણ સિંહલી” નામે જાણીતી થઈ એ પરથી માલૂમ પડે છે કે સિલેનમાં ત્યારે વિજય અને પાંડુ વાસુદેવ સાથે ગયેલા સિંહની સાંસ્કૃતિક અસર ઘણી વિપુલ તથા પ્રબળ હોવી જોઈએ. પાદટીપ 2-3. Wilhelm Geiger, The Mahāvaṁsa or the Great Chronicle of Ceylon, Introduction, p. x ૪. એજન, પૃ. ૧૧; G. C. Mendis, “Ceylon”, Comprehensive History of India, Vol. II, p. 568 ૫. W. Geiger, op. cil. pp. xi f, રાજા ધાતુસેનનો રાજ્યકાલ ઈ. સ. ૧૦૯-૫૭ને કી, અહીં “મહાવસ”ની રચના છઠ્ઠી સદીના આરંભમાં થઈ હોવાનું જણાવ્યું છે, પરંતુ હવે એ રાજાને રાજ્યકાલ ઈ. સ. ૪૬૦-૪૭૮ ને આંક્વામાં આવે છે (D. C. Sircar, “Ceylon”, Classical Age, p. 285) ને મહાનામાં પાંચમી સદીના છેલ્લા
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy