SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મો કાલથી ગુપ્તકાલ [X.. ૧૦૦] હોદ્દો ધરાવતા અધીન રાજ્યકર્તાઓ દ્વારા સત્તા સભાળી હતી, જે એના શિક્ષાલેખાથી સૂચિત થાય છે. ૧૯ આથી સ્પષ્ટતઃ કહી શકાય નહી કે ક્ષત્રપે ાણેાના ઉપરાજ હતા. સુનળ અને રાળમૂજેના કેવળ ઉલ્લેખથી ક્ષત્રા ઉપર કાણાનું આધિપત્ય સાબિત થતું નથી. વળી મુળના ઉલ્લેખ માત્રથી કુષાણાના સિક્કાઓના સંદર્ભ સૂચવા નથી, કેમકે વેદકાલથી સિક્કા તરીકે સેાનાના ઉપયાગ થતા આવ્યા છે, તેથી રૅપ્સનનું ઉપયુ ક્ત મંતવ્ય સ્વીકાય બનતું નથી. રાળનૂજેને કન્હેરી લેખેામાંના ૨૦ દ્ધિો સાથે સરખાવી સેના ‘વર્ષાકાલ પૂરતા અન્ન માટે મળતી માસિક વૃત્તિ' એવા એના અર્થ કરે છે,૨૧ જે વાચસમૂહના સંદર્ભમાં જોતાં વધારે બંધ ખેસે છે. આથી દે. રા. ભાંડારકરનું ઉપર્યુક્ત અર્થધટન પણ સ્વીકારી શકાતુ નથી. એ બૈજનાથ પુરી ક્ષત્રપ અને મહાક્ષત્રને જુદી રીતે વિચારે છે: “ચાષ્ટ્રનની. જેમ નહપાન પણ શરૂમાં ક્ષત્રપ અને પછી મહાક્ષત્રપ હતા. કેટલાક સમય પછી ઊંચા હોદ્દાના સ્વીકારમાં કાંઈક મહત્ત્વ જણાય છે એમાં અધિતિથી સ્વતંત્ર થયાના અથવા અધિપતિ દ્વારા ઊંચા હોદ્દો પામ્યાના અથ અભિપ્રેત છે. બંનેમાં અધિપતિનું અસ્તિત્વ જરૂરી છે.”૨૨ જો આ સ્વીકારીએ ત। એને થાય કે માત્ર નહપાન અને ચાન જ નહિ, પણ લગભગ બધા જ પશ્ચિમી ક્ષત્રપેા, તેા પછી, કુષાણુ રાજાઓના ઉપરાજ હાવા જોઈએ, કેમકે પશ્ચિમ ભારતના આ રાજાએ હ ંમેશ ક્ષત્રપ-મહાક્ષત્રવ તરીકે એળખાતા. આ શક્ય લાગતું નથી, કારણ કે કણિ-જૂથના છેલ્લા સાત રાજા વાસુદેવના રાજ્યના અંત ઈ.સ. ૨૪૧–૨૭૨ ની વચ્ચે કાઈ સમયે આવ્યા હોવાનું બૈજનાથ પુરીએ નાધ્યું છે, ૨૩ જ્યારે પશ્ચિમી ક્ષત્રપેાનું રાજ્ય ચેાથી સદીના ચોથા ચરણમાં અસ્ત પામ્યું હતું. આથી પુરીનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી. કણિષ્કના શિલાલેખા અને સિક્કાનાં પ્રાપ્તિસ્થાન ઉપરથી તેમજ એની ચડાઈ એનાં આનુશ્રુતિક વણુના પરથી કહી શકાય કે પજાબ, કાશ્મીર, સિ ંધ, ઉત્તર પ્રદેશ અને બંગાળ-બિહાર સુધીના પ્રદેશ એના રાજ્યમાં સમાવિષ્ટ હતા, જ્યારે નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી, અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ તેમજ અહમદનગર, નાસિક અને પૂના જિલ્લાએ સુધી હતી. આથી સ્પષ્ટ થાય છે કે કષ્કિના રાજ્યવિસ્તારમાં ગુજરાત-મહારાષ્ટ્રના સમાવેશ થતા ન હતા.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy