________________
અને ભાવથી ચારે પ્રકારે ઉચ્ચરાવવામાં આવે છે અર્થાત્ પંચ મહાવ્રતોના પાલના કરવા વડે તારે શું થવાનું છે? તો કહે દ્રવ્યાતીત-ક્ષેત્રાતીત- કાળાતીત અને ભાવાતીત થવા વડે ભવાતીત થવાનું છે.
કાળ દ્રવ્યનો આધાર પણ પુદ્ગલ દ્રવ્ય છે. કાળ વાસ્તવિક અપેક્ષાએ સ્વતંત્ર દ્રવ્ય નથી. માટે પ્રથમ જીવની વિચારણા કર્યા પછી અજીવની વિચારણામાં ધર્માસ્તિકાયની, અધર્માસ્તિકાયની, આકાશાસ્તિકાયની વાત કર્યા બાદ પુદ્ગલાસ્તિકાયની વિચારણા કરી અને હવે પછી કાળની વિચારણા કરવામાં આવી છે. કાળનો આધાર પુદ્ગલ દ્રવ્ય છે. તેથી કાળની વિચારણા છેલ્લી મૂકી, કાળની સંપૂર્ણ અસરથી રહિત માત્ર સિદ્ધો છે. અરિહંત અને કેવલીને પણ આયુષ્યકાળ સુધી દેહમાં રહેવું પડે, ત્યાં સુધી તેમનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ ન થાય.
દેગોયમા છ દવા પન્નતા તં જહા ધમાલ્વિકાય, અધમ્માFિકાય, આવાસાથિકાય, પગલાત્વિકાય જીવાલ્વિકાય, અદ્ધાસમયા
(તસ્વાર્થ સૂત્ર) ભાવાતીત થવામાં મુખ્ય બાધક પુદ્ગલ દ્રવ્ય છે. શુભાદિભાવો પુદ્ગલ દ્રવ્યના આધારે થાય છે. જેમ માથેરાન, કાશ્મીર વગેરેમાં વાતાવરણ એ ક્ષેત્રમાં રહેવામાં કારણ બને છે તો આ વાતાવરણ એ જ પુદ્ગલ છે. આથી ક્ષેત્રમાં પણ જીવને જયાં રહેવાનું મન થાય, અનુકૂળ-પ્રતિકૂળ લાગે તે થવામાં પુદ્ગલનું વિવિધરૂપે પરિવર્તન થયા કરે છે. તેમાં જો જીવ સાવધાન હોય તો રાગાદિભાવ પરિણામ ન થાય.
ઔદારિક દેહમાં વધારેમાં વધારે કેટલા કાળ જીવ રહી શકે? સંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચકાયે ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષ અને અસંખ્યાત વર્ષવાળા યુગલિક મનુષ્ય તથા યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય ૩ પલ્યોપમ કાળ (અસંખ્યાત) વર્ષ રહી શકે.
કાળ બે પ્રકારે નિશ્ચય અને વ્યવહાર: કાળ વસ્તુની વર્તના અસ્તિત્વને બતાવે છે. નિશ્ચયકાળ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવના આધારે છે. આથી નિશ્ચયકાળ લોકાલોક વ્યાપી છે. અલોકમાં આકાશ ક્ષેત્ર છે.
અજીવ તત્વ | 55