________________
કોને કઈ લેયા હોય?
પ્રથમ ત્રણ અશુભ લેગ્યા. (કૃષ્ણ-નીલ-કાપોત)-મિથ્યાત્વ ગુણથી અવિરત સમ્ય દષ્ટિ સુધી હોય. (મતાંતર અપ્રમત્ત સુધી)
અગ્નિ-વાયુકામાં પ્રથમની ત્રણ લેશ્યા હોય.
બાદર પૃથ્વી, અ અને વનસ્પતિકાયમાં પ્રથમની ત્રણ દ્રવ્ય અને ભાવ લેગ્યા હોય અને અપર્યાપ્ત અવસ્થામાં તેજોલેશ્યા (દેવગતિમાંથી આવેલાને) દ્રવ્ય લેશ્યા હોય.
ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ દેવલોકમાં પ્રથમની ચાર દ્રવ્ય અને ભાવ લેશ્યા હોય. પરાવર્તન ક્રમે ૬એ આવી શકે. (જ્યોતિષને માત્રદ્રવ્ય અને ભાવ તેજો લેશ્યા ૬એ હોય.)
સૌધર્મ-ઈશાનમાં-દ્રવ્યથી તેજો વેશ્યા અને ભાવ લેશ્યા છએ હોય.
સનતકુમાર દેવલોકમાં કેટલાકને પદ્મલેશ્યા અને કેટલાકને શુકલ લેગ્યા હોય. લાંતકથી (૬ઠ્ઠા દેવલોકથી) ૯મા ગ્રેવયેક સુધી શુકલ લેશ્યા અને પ અનુત્તરમાં પરમ શુકલ હોય.
સર્વ દેવોને ભાવ લેશ્યા છએ હોય: દેવ-નારકોને પૂર્વભવના શેષ અંતર્મુર્તિથી પ્રારંભી આવતા ભવમાં પ્રથમ અંતર્મુહૂર્ત સુધી દ્રવ્ય-લેશ્યા હોય છે. ૧) રત્નપ્રભા પૃથ્વીના નારકોને - કાપોત લેશ્યા ૨) શર્કરા પ્રભા પૃથ્વીના નારકોને - કાપોત લેશ્યા ૩) વાલુકાપ્રભા પૃથ્વીના નારકોને - કાપોત-નીલ લેડ્યા ૪) પંકપ્રભા પૃથ્વીના નારકોને – નીલ ગ્લેશ્યા ૫) ધૂમપ્રભા પૃથ્વીના નારકોને – નીલ-કૃષ્ણ લેશ્યા. ૬) તમઃપ્રભા પૃથ્વીના નારકોને - કૃષ્ણ લેશ્યા ૭) તમતમા પ્રભા પૃથ્વીના નારકોને – પરમ કૃષ્ણ લેશ્યા હોય. સર્વ નારકોને ભાવ લેશ્યા છએ હોય. કોઈ જીવ સમકિત પામે ત્યારે તેજો લેશ્યા હોય.
304 નવ તત્ત્વ