________________
જૈનશાસનમાં આહારના રસને તોડવાના ઉપાય તરીકે ચાર આહારના ત્યાગરૂપ ૬ માસના ઉપવાસ, તે શક્ય ન હોય તો ત્રણ આહારના ત્યાગરૂપ, ઉપવાસ એમ ઉત્તરતા ક્રમે ૧ ઉપવાસ, તે પણ શક્ય ન હોય તો ૬ ષસના ત્યાગરૂપ આયંબિલમરી, મસાલાદિ બીજા કોઈ પણ સ્વાદને વધારનાર દ્રવ્ય આયંબિલમાં ન વપરાય. (બલવન પણ ન વપરાય લવણ છઠ્ઠો રસ છે), તે શક્ય ન હોય તો લુખી નીવિ. (માત્ર વલોણાની છાસ અને મરચું, હળદર સામાન્ય વપરાય), તે શક્ય ન હોય તો એકાસણું, લીલોતરી અને મહાવિગઈ તો સંપૂર્ણ ત્યાગ જ હોવી જોઈએ. ૬ વિગઈમાં એકાદ વિગઈ તે પણ જરૂર પૂરતી. પૂ. આચાર્ય પ્રેમસૂરિ મહારાજશ્રી જે ૩૦૦ સાધુના નાયક હતાં છતાં એકવાર ચોમાસામાં બે જ દ્રવ્યથી એકાસણા, દાલબાટી દૂસરી બાત ખોટી. આમ પુદ્ગલ રસાસ્વાદ છોડી શકે તે જ આત્માનો રસાસ્વાદ માણી શકે.
જો આત્માનો રસાસ્વાદ ન માણી શકે અને પુદ્ગલ રસાસ્વાદને સુખરૂપ માની અર્થાત્ અભોગ્યને ભોગ્ય માની વાપરે તો ભાવિમાં પોતાના ગુણોના રસાસ્વાદ માણવાના અંતરાયભૂત ચારિત્ર મોહનીય કર્મ બંધાય.
(૮) સ્પર્શ પરિણામ: ઔર ભ્રાન્તિમિટજાતે હૈ, પ્રગટ જ્ઞાન ઉધોત, રાનીકુભિ વિષયભ્રમ, દિસામોહસમહોતiાપવા.
| (સમતા શતક) પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોમાં સૌથી વધારે ખતરનાક સ્પર્શનેન્દ્રિયના ગુરુલઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ, સ્નિગ્ધ-રુક્ષ, આદિ ૮ વિષયો બાહ્ય સુખમાં સુખ બુદ્ધિનો ભ્રમ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અનુકૂળ સ્પર્શમાં સાતા સુખરૂપે અને પ્રતિકૂળ સ્પર્શ દુઃખરૂપે લગાડે છે. ભલભલા જ્ઞાનીઓ પણ સ્પર્શ વિષયને સુખરૂપ માનવામાં થાપ ખાઈ જાય છે. અનુકૂળ સ્પર્શને દુઃખરૂપ માનવું એ વિરલ જીવો માટે ઘટશે. વિષય સુખ એ દુઃખના પ્રતિકાર રૂપે જીવ પાસે સુખ મનાવે છે. તેના ભોગવટામાં જીવને તે સહજ સુખરૂપે લાગે છે. જીવ પોતે તેમાં સમતા સુખ ભોગવવાનું ગુમાવે છે અને અસાતાનો બંધ કરી કર્મ ભાર વધારે છે.
આત્મામાં બે વાસનામનદ્વારા અનુભવાય (૧) મિથ્યાત્વની વાસના (૨) બીજી ચારિત્રમોહની વાસના. મિથ્યાત્વની વાસના મનમાં બધું ઊંધુદેખાડે. ગરમીને દુઃખ
248 | નવ તત્ત્વ