________________
આથી યોગીઓ પણ પ્રભુના રૂપ ગાન ગાતા કહે છે.
“હારે હું તો મોયોરે લાલ, જિનમુખડાને મકે; જિન મુખડાને મક્કે, વારી જાઉં, પ્રભુ મુખડાને મકે (૧) નયન રસીલાં વયણ સુખાલાં, ચિત્તહરી લીધું હરી ચટકે, પ્રભુજીની સાથે ભક્તિ કરતા, કર્મતણી કસ તકે,”
(સંભવનાથ પ્રભુનું સ્તવન-પૂ. લાભવિજય મ.સા.)
તીર્થંકર પરમાત્માએ ૧૨૫ વર્ષ ઘોર તપ કરી સાધના કરી છતાં તેમનું રૂપ ઝાંખુ ન પડે પણ તપથી તે રૂપ વધારે દિવ્ય, તેજસ્વી, નિર્વિકારી, અલોકિક થાય. પ્રભુના દર્શન માત્રથી વિષય-કષાયની વાસનાના પાપ નાશ થાય. દર્શનાત્ દુરિત ધ્વંસી -પ્રભુદર્શન સુખ સંપદા.
“રૂપ નિહાળી પરિચય કીનો-રૂપમાંહી નહી આયો, જે-જે પૂજા તે-તે અંગે, તું તો અંગથી દૂર” તે માટે ઉપચારક પૂજા ન ઘટે ધ્યાનને પૂરે
(ચંદ્રપ્રભુ) (પૂ. માનવિજય મ.સા) ઈંદ્રો-ઈંદ્રાણી સહિત લોક પરમાત્માના રૂપમાં ડૂબી જાય તો પણ પ્રભુ તો રૂપથી નિરાળા-રૂપાતીત ધ્યાન દશામાં જ રમનારા છે.
તેવા પ્રભુની પૂજાથી ચિદાનંદ કેરી પૂજા- નિર્વિકલ્પ ઉપયોગ રે આતમ પરમાત્મને અભેદે, નહિ કોઈ જડનો જોય રે
(પૂ. માન વિજય મ.સા.)
-
તેવા પ્રભુની પૂજાથી આત્મા તેમની જેમ નિર્વિકલ્પ ઉપયોગવાળો બની પોતે પણ પરમાત્મારૂપ થાય. ચિદાનંદકેરી પૂજા એટલે – પ્રભુ આપ વીતરાગ, તેથી વિકલ્પથી રહિત આપના અંગની પૂજા એટલે આપના ગુણોની પૂજા, પણ તે મેં આજ સુધી ન કરી એટલે આપની વીતરાગતા-નિર્વિકારતા, નિર્વિકલ્પતા ન ગમી આથી હું આકાર-રૂપમાં વિકલ્પોની જાળ વડે અટવાયો તેના પાશમાંથી (વિષયકષાય) છૂટતો નથી. જો આપના ગુણોને ઓળખી ગુણોની રુચિ પૂર્વક જો મેં પૂજ્યાભજયા હોત તો વિષયોની પરાધીનતામાં ન હોત પણ આજ્ઞારૂપ બંધનમાં બંધાયેલો પરમાનંદનો આંશિક પણ ભોગવટો કરતો હોત. કદાચ મારા પૂર્વ તીવ્ર નિકાચિત
238 | નવ તત્ત્વ