________________
રૂપની અનિત્યતા સમજી તેને સુધારવાને બદલે નિત્ય આત્માને સુધારવા સંયમતપમાં લાગી ગયા. રૂપ બગડવાનો ખેદ રતિ-અરતિ ગઈ. પુદ્ગલથી આત્મામાં જે મોહનો રોગ પ્રગટયો તેને દૂર કરવા જ જિનાજ્ઞાનો સ્વીકાર કરી ૭૦૦ વર્ષ તપ વડે અનેક લબ્ધિ પ્રાપ્ત થઈ છતાં તેનું પણ બહુમાન નહીં. આત્માની અનંત ગુણ સંપત્તિ સમજાઈ અને તેને જ પ્રગટાવવાનું અનુભવવાનું લક્ષ આવતા બાકીનું બધું ગૌણ બને.
પુદ્ગલના ૧૦ પરિણામો જીવ માટે પીડાના કારણભૂત બને. જો જીવ પોતાના પરિણામને છોડીને પુલના પરિણામોમય બને, તેની સાથે રહે, તેમાંજ આનંદ અનુમોદન કરે તો તે મોહની પુષ્ટિનું કારણ બને અને તેથી મોહના ઉદય અને મોહના બંધ વડે આત્મા વર્તમાનમાં નિર્મળ આનંદને બદલે પીડા ભોગવે. ભાવિમાં તે જ પીડા ભોગવવાનું કર્મ બંધ પણ થાય. પગલના પરિણામો આત્મામાં મોહ કઈ રીતે જગાડે?
જો કોઈ પણ વસ્તુને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ન જોતા માત્ર પર્યાય દષ્ટિથી જોવામાં આવે ત્યારે દષ્ટિ મોહપ્રધાન બને છે. તેથી તે વસ્તુનો નિર્ણય પર્યાયથી જ કરે ત્યારે મિથ્યાત્વથી જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.
જેમ ઈલાચીને રૂપવાન નટડીને જોઈ તેને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું. તે તેને ઉપાદેય લાગી. તેથી માતા-પિતાદિ બધાને અવગણીને કુળ મર્યાદા છોડી તેની પાછળ ભાગ્યો. રૂપ શરીરમાં છે તેથી શરીર કિંમતી-રૂપથી શરીરની શોભા વધી. શરીરનો સારા તરીકે સ્વીકાર થયો, વસ્તુ ઈષ્ટ લાગવી તે મિથ્યાત્વનો ઉદય. આચારાંગ શાસ્ત્રમાં પુદ્ગલના ગુણોને કામ ગુણ તરીકે કહ્યા છે. ને પુછે मूलठाणे, जे मूलठाणे से गुणे।।
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ એ પાંચ કામગુણો છે, તે વિષયો છે અને તેનું મૂળ કષાય-અર્થાત્ રૂપાદિ પુદ્ગલમાં સુખ બુદ્ધિ પ્રગટી તો તે ગુણ જીવ માટે કામ (વિષય) થઈ ગયા. પુદ્ગલ ગુણને સુખરૂપ માનવા તે મિથ્યાત્વ અને સુખ માની તેની ઈચ્છા કરવી તે ચારિત્ર મોહ. ઈલાચીએ નટડીને રૂપવાન માની, સ્ત્રી સુખ રૂપ માનીતે મિથ્યાત્વનો ઉદય અને તેને મેળવવાની ઈચ્છા કરી તે ચારિત્ર મોહના ઉદય રૂપ. શરીર એ પુદ્ગલ છે ને એક વસ્તુ છે. તેમાં સફેદ રૂપ તેનો પર્યાય કાળો છે. જો શરીરનો વર્ણ કાળો હોય તો ન ગમે.
232 | નવ તત્ત્વ