SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનમાં જવાનું છે. આત્મા મનથી છૂટો થાય એટલે અંતર્મુહૂર્તમાં જગતના તમામ કર્મો બાળીને સાફ કરી દે. આ જ અનંતવીર્ય કહેવાય. પરંતુ કર્મ કોઈ બાળી શકે નહીં તેથી દરેક આત્માએ પોતાનું અનંતવીર્ય જગાડવું પડે તો તેને લાભ થાય. આવી શક્તિ મારા આત્મામાં છે તે જ ખબર નથી તેથી નિર્ણય કરો કે મારામાં આવી શક્તિ છે પછી વિશ્વાસ બેસાડો. પરમાત્માએ કહ્યું છે તેવી શ્રધ્ધા બેસાડો પછી શક્તિને પ્રગટ કરવાની વાત આવે. 3 ઉપશમ–શપબ્રેકિમાં શું ભેદ છે? ઉપશમશ્રેણિ અને ક્ષેપક શ્રેણિ– બંનેના જ્ઞાનના પરિણામમાં ભેદ ન હોય માત્ર વીર્ય પરિણામમાં ભેદ પડે છે. ' ઉપશમશ્રેણિમાં વીર્ય પૂર્ણ પ્રગટ ન થયું અથવા નબળું પડ્યું તેથી તે કષાયને દબાવશે. બીજા-ત્રીજા સંઘયણવાળો કર્મને દબાવતો–દબાવતો ઉપશમશ્રેણિ માંડે. પ્રથમ સંઘયણવાળો જ અનંત વીર્ય ફોરવી ક્ષપકશ્રેણિ માંડે એટલે કર્મને દબાવવાના બદલે ખપાવે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ્ઞાન અને અનંતવીર્યફોરવવાની શક્તિ હોય તો પણ કેવલજ્ઞાન મેળવી શક્યા, કારણ મોહને મારવામાં સફળતા મળી છે. પ્રથમ અપૂર્વકરણ કરીને પહેલા દર્શન મોહનીયને મારી સમ્યગુદર્શન મેળવે અને પછી બીજું અપૂર્વકરણ કરીને ચારિત્ર મોહને સંપૂર્ણ મારી વીતરાગ સર્વજ્ઞ બની મોક્ષે જાય. જ્ઞાન એ જ ધ્યાનના સ્વરૂપને પામે અને તે જ નિર્જરા સ્વરૂપ થાય. | દર્શન મોહનીયરૂપ મિથ્યાત્વ કર્મ નીકળી જાય તો પૂર્ણ રુચિવાળું શુધ્ધ જ્ઞાન પ્રગટ થાય. સમ્યગદર્શન આવે એટલે વિચાર શુધ્ધ થાય. અર્થાત્ સાયિક સમ્યગ્ગદર્શન પ્રગટે એટલે આત્માનો પહેલો મોક્ષ થાય. વીતરાગતા આત્માનો બીજો મોક્ષ છે. ૧૧મા ગુણઠાણે ઉપશમ વીતરાગતા આવે ત્યાંથી જીવ નિયમા પડે, પડીને સાતમે આવે. કોઈ ફરી ક્ષપકશ્રેણિ માંડે નહીં તો છટ્ટ–પાંચમે કે નવતત્ત્વ // ૧૦૨
SR No.032602
Book TitleNavtattva Part 01
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2018
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy