________________
પવિત્ર કલ્પસૂત્ર
ર
વગેરેએ પણ પ્રભુના સ્નાનના લહાવા લીધા. શક્રેન્દ્રે તે ચાર વૃષભનું રૂપ કરીને આઠ શીંગડાંઓમાંથી ઝરતા જળ વડે પ્રભુના અભિષેક કર્યો
ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખેાળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં બે વૃષભનાં રૂપે! ચીતરેલાં છે અને આજુબાજુમાં એ દેવા હાથમાં કલશ લઇને ઊભેલા છે. ઈન્દ્રની પલાંઢીની નીચે મેરુપર્વતની ચૂલાએ ચીતરેલી છે.
ચિત્ર ૨૫: પ્રભુ મહાવીરનું દીક્ષા કલ્યાણક. વર્ણન માટે જ વર્ણન.
એ ચિત્ર ૧૩નું આ ચિત્રનું
ચિત્ર ૨૬ : પ્રભુ મહાવીરનું કેવલ્ય કલ્યાણક, વર્ણન માટે જ વર્ણન.
જુએ ચિત્ર ૧૬નું આ ચિત્રનું
Plate VII
ચિત્ર ૨૭: ઈન્દ્રસભા, ઈડરની પ્રતના પાના ૭ ઉપરથી. ચિત્રના મૂળ કદ ર×ર ઇંચ ઉપરથી સહેજ નાનું અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં ઈંન્દ્ર સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થએલે છે. ઉપરના જમણા હાથમાં વજ્ર અને ડાબા હાથમાં અંકુશ છે. નીચેના જમણેા હાથ સામે ઊભા રહેલા દેવને કાંઈ આજ્ઞા ફરમાવતા હાય તેવી રીતે રાખેલેા છે. ડાખા હાથમાં કાંઈ વસ્તુ છે જે સ્પષ્ટ દેખાતી નથી. ઇન્દ્રના કપડામાં ચાકડીની ડિઝાઇન વચ્ચે લાલ રંગની ટીપકી છે. સામે એક સેવક ધ્રુવ એ હાથની અંજલિ જોડીને ઇન્દ્રની આજ્ઞાને સ્વીકાર કરતા નમ્રભાવે ઊભેલે છે. તે પણ વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત છે. તેના મસ્તક ઉપરપણ છત્ર છે. બંનેના કપાળમાં U આવી જાતનું તિલક છે જે તે સમયના સામાજિક રિવાજનું અનુકરણ માત્ર છે.
ચિત્ર ૨૮ : શક્રસ્તવ, ઇડરની પ્રતના પાના ૯ઉપરથી. ચિત્રનું કદ ર×રફ઼ે ઇંચ છે. સૌધર્મેન્દ્રે શક્ર નામના સિંહાસન ઉપર બેઠાંબેઠાં પેાતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યાં દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયા. હર્ષના અતિરેથી, વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રામરાજિ વિકવર થયા. તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી. તરત જ શક્રેન્દ્ર આદર સહિત ઉત્સુકતાથી પેાતાના સિંહાસન ઉપરથી ઊઠયો, ઊઠીને પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને રત્નાથી જડેલી અને પાદુકાઓને પગમાંથી ઊતારી નાખી. પછી એક વસ્રવાળું ઉત્તરાસંગ ધારણ કરીને અંજલિ વડે એ હાથ જોડી તીર્થંકરની સન્મુખ સાત-આઠ પગલાં ગયા.
પછી પાતાના ડાબા ઢીંચણુ ઊભેા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડયું, અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને એરખાથી સ્તંભિત થએલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઊંચી કરી, એ હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવત્ત કરી, મસ્તકે અંજલિ જોડીને શક્રસ્તવ વડે પ્રભુ શ્રીમહાવીરની સ્તુતિ કરી.
ચિત્રમાં જમણી બાજુએ ઇન્દ્ર પાતાના બંને ઢીંચણુ પૃથ્વીતળ ઉપર લગાડી એ હાથની અંજલિ જોડેલા, મસ્તક તથા શરીરને નમાવવાની તૈયારી કરતા અને એક હાથમાં વા ધારણ